Webdunia - Bharat's app for daily news and videos

Install App

રૂ. ૩ કરોડના ખર્ચે કોટેશ્વર મહાદેવ મંદિરનું આધુનિકરણ કરાશે, મુખ્યમંત્રીએ ચાની ચુસ્કી લગાવી પાપડી-ઝલેબીની મજા માણી

Webdunia
શનિવાર, 9 એપ્રિલ 2022 (18:34 IST)
ચૈત્રી નવરાત્રિના પાવન પ્રસંગે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અનેક વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાપર્ણ કરાયા છે,ત્યારે અંબાજીના સાનિધ્યમાં આવેલા પ્રાચીન કોટેશ્વર મહાદેવના આધુનિકરણના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
 
રૂ. ૩ કરોડના ખર્ચે યાત્રાળુઓ માટે યાત્રિક સુવિધા કેન્દ્ર, રેમપની કામગીરી, પગથિયાનું રીનોવેશન, હયાત મંદિર અને પરીસરનું રીનોવેશન, ગૌમુખ કુંડ રીનોવશન તથા નવિન કામ, સરસ્વતી માતાની પ્રતિમાનું નિર્માણ, ગાર્ડનીંગ તથા પ્રવેશદ્વાર સહિતના આધુનિકરણના કામો હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરથી પરત ફરતા મુખ્યમંત્રી સામાન્ય નાગરીકની જેમ સ્થાનિક ગ્રામજનો સાથે તેમના સામાન્ય જીવનમાં મુશકેલી વિષે ચર્ચા કરી તેમના બાળકોના આરોગ્ય અને શિક્ષણ વિષે વિસ્તૃત વાત કરી હતી. મુખયમંત્રીએ સહજ ભાવે સ્થાનિક સાથે ચાની ચુસ્કી લગાવી પાપડી-ઝલેબી આરોગ્યા હતા. 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વ નો  અંબાજી ધામ નજીકના કોટેશ્વરના ગ્રામજનો અને બાળકોને અદકેરો અનુભવ થયો.મુખ્યમંત્રી કોટેશ્વર મહાદેવ માં પૂજન અર્ચન કરી ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિકાસ કામોના લોકાર્પણ માટે જઈ રહ્યા હતા. માર્ગમાં આવતી એક દુકાને તેઓ સામાન્ય નાગરિકની જેમ જ અચાનક ઊભા રહી ગયા અને એક વડીલ સાથે પોતીકા ભાવથી વાતચીત કરી તેમના ખબર અંતર  પૂછ્યા અને અહીં જે બાળકો હતા તેમની સાથે પણ વડીલ ભાવે સંવાદ કરી તેમના શિક્ષણ, શાળા ની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે ગ્રામ જન બની ચા ની ચૂસકી લીધી અને નાસ્તો પણ કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

આગળનો લેખ
Show comments