Webdunia - Bharat's app for daily news and videos

Install App

જિગ્નેશ મેવાણી ધરપકડને ગણાવ્યું PMO નું કાવતરું, 1 જૂને ગુજરાત બંધનું એલાન

Webdunia
મંગળવાર, 3 મે 2022 (08:58 IST)
જીગ્નેશ મેવાણીએ આસામ પોલીસ પર ગુજરાતના ગૌરવ સાથે ખિલવાડનો આરોપ લગાવતા તેમની ધરપકડને વડાપ્રધાન કાર્યાલયનું કાવતરું ગણાવ્યું હતું. તેમણે 1 જૂને ગુજરાત બંધનું એલાન આપ્યું છે. જીગ્નેશ મેવાણીએ સોમવારે કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી પીએમ ઓફિસ પર ષડયંત્રનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, આ 56 ઈંચની કાયરતા છે.
 
એક મહિલાને આગળ કરવામાં આવી અને મારી સામે બનાવટી કેસ દાખલ કરવામાં આવ્યો, જ્યારે આસામની ન્યાયતંત્રએ સ્પષ્ટ કહ્યું કે મારી વિરુદ્ધ કોઈ કેસ કરવામાં આવતો નથી. મારા જામીનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે એફઆઈઆર અને આરોપમાં કોઈ સમાનતા નથી. મારી ધરપકડ કરીને 2500 કિમી દૂર લાવવામાં આવ્યો હતો જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને પણ તેની જાણ કરવામાં આવી ન હતી.
 
જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી છે તેથી ભાજપ મને બદનામ કરવા માંગે છે અને મારી પાસેથી અને મારી ટીમના સભ્યોનું લેપટોપ, કોમ્પ્યુટર, ફોન બધું જપ્ત કરવામાં આવ્યું હતું આજે હું ચિંતિત છું કે મારા ફોન અને લેપટોપમાંથી કોઈ રીતે જાસૂસી જાસૂસી ન થઈ જાય. . પહેલા રોહિત બેમુલા વિરુદ્ધ ષડયંત્ર, પછી ચંદ્રશેખર અને હવે મને ખતમ કરવા માંગે છે. આ પ્રકારનું વાતાવરણ આપણા દેશ માટે ઘણું જોખમી છે. માત્ર એક ટ્વિટથી મારી વિરુદ્ધ ઘણું બધું કરવામાં આવ્યું છે.
 
1 જૂને ગુજરાત બંધનું એલાન
જીગ્નેશ મેવાણીએ જાહેરાત કરી કે તેઓ રસ્તા પર ઉતરશે. તેમણે 1 જૂને ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. મેવાણીએ કહ્યું કે જો 22 પરીક્ષાના પેપર લીક કરનાર, મુન્દ્રા પોર્ટ પર 1.75 લાખ કરોડ રૂપિયાના નશીલા પદાર્થ અને ઉનામાં દલિતો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો તેઓ 1 જૂને રસ્તા પર ઉતરશે.
 
નિયમો વિરુદ્ધ હતી મારી ધરપકડ 
મેવાણીએ કહ્યું કે આસામ પોલીસ દ્વારા તેમની ધરપકડ નિયમો વિરુદ્ધ છે. તે પૂર્વ આયોજિત કાવતરું હતું. તે ધારાસભ્ય માટે પ્રોટોકોલ અને નિયમોનું ઘોર ઉલ્લંઘન હતું. તેમણે કહ્યું કે, મારી ધરપકડ કરીને 2500 કિમી દૂર લાવવામાં આવ્યો હતો, જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને પણ તેની જાણ કરવામાં આવી ન હતી. કથિત રીતે, તેઓએ મારું લેપટોપ, કમ્પ્યુટર, ફોન, બધું જપ્ત કર્યું. તેમને ડર છે કે તેઓએ તેમાં જાસૂસી સોફ્ટવેર ન મુક્યું હોય.
 
આસામની કોર્ટે જામીન આપ્યા
અગાઉ, આસામના બારપેટાની એક અદાલતે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જામીન આપ્યા હતા અને કહ્યું હતું કે પોલીસે ધારાસભ્યને ફસાવવા માટે ખોટો અને બનાવટી કેસ કર્યો છે. આટલા સંઘર્ષથી મળેલી લોકશાહીને પોલીસ રાજ્યમાં ફેરવવાનો વિચાર પણ અકલ્પનીય છે. મહિલા કોન્સ્ટેબલ પરના કથિત હુમલાના કેસમાં જામીન આપતા કોર્ટે કહ્યું હતું કે, "પોલીસ લોકોને ફસાવવામાં અવ્વલ બની રહી છે, હાઈકોર્ટે પોલીસની કામગીરીની નોંધ લેવી જોઈએ."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments