Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારે ઉનાના દલિત કાંડના પિડીતો સાથે છેતરપિંડી કરી - જિજ્ઞેશ મેવાણી

Webdunia
બુધવાર, 21 માર્ચ 2018 (14:27 IST)
ઉના દલિત કાંડના પીડિતો સાથે સરકારે છેતરપિંડી આચરી હોવાનો ગંભીર આરોપ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા સરકાર પર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે આનંદીબેન સરકારે આપેલું વચન રૂપાણી સરકારે પાળ્યુ નથી.  જિજ્ઞેશ મેવાણીએ આ મામલે કહ્યું હતું કે સરકાર દ્વારા પીડિતો સાથે છેતરપિડી કરવામાં આવી છે. ઉનાના સમઢિયાળા ગામ ખાતે દલિતો પર થયેલા અત્યાચાર બાદ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા જાત મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. પીડિતોને ઘરનો પ્લોટ, બીપીએલ કાર્ડ, ખેતીની જમીન સરકારી નોકરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જે આજ દિન સુધી પૂરી થઈ નથી. આનંદીબેન પછી સત્તા સંભાળનારા અને હાલમાં પણ મુખ્યમંત્રી તરીકે કામકરતા વિજય રૂપાણીએ આનંદીબેને આપેલા વચનોની પૂર્તિ કરી નથી. પૂર્વ સરકારે કરેલી જાહેરાત હાલમાં સરકારના રેકર્ડ પર ન હોવાનું પણ તેમણે કહ્યું હતું. સરકાર તરફથી કોઈ મદદ ન મળતાં આગામી 29મી માર્ચે પીડિત પરિવાર દ્વારા બૌદ્ધ ધર્મ અંગીકાર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.  આશરે દોઢ વર્ષ બાદ દલિત પીડિત પરિવારના સભ્યો મંગળવારે 20 માર્ચે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટને હિન્દૂ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવવા જઈ રહ્યાં હોવાનું આવેદન પત્ર મારફતે જાણ કરી હતી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

Watermelon Seeds - ભૂલથી ખાઈ ગયા તરબૂચના બીજ તો જાણો પેટની અંદર શું થાય છે, તેનાથી શરીરને ફાયદો થશે કે નુકસાન?

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

આગળનો લેખ
Show comments