Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રથમ તબક્કાના મતદાન પહેલા જેતપુર તાલુકા પ્રમુખનું હૃદયરોગના હુમલાથી નિધન

Jetpur taluka president dies of heart attack
Webdunia
મંગળવાર, 29 નવેમ્બર 2022 (11:36 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા ભાજપ માટે માઠા સમાચાર આવ્યા છે. જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું વહેલી સવારે તેમના વતન વીરપુરમાં હૃદયરોગના હુમલાથી નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. 
 
ગઈ કાલે રાત્રે જેતપુર ખાતેની સભામાં તાલુકા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.વેલજીભાઈ સરવૈયા નશાબંધીને આબકારી ખાતામાં તેમજ પછાત નિગમના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તાલુકા પ્રમુખનું નિધન થતાં જેતપુર જામકંડોરણા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયાના લોક સંપર્ક સહિતના તમામ કાર્યક્રમો મોફૂક રાખવામાં આવ્યા છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments