Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાનના કાર્યક્રમમાં નરેશ પટેલની ગેરહાજરી, પાટીદારોએ હોસ્પિટલ બનાવી પણ નરેશ ભાજપથી દૂર રહ્યાં

Webdunia
શનિવાર, 28 મે 2022 (17:00 IST)
જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા 40 કરોડના ખર્ચે 200 બેડની કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. આ હોસ્પિટલના લોકાર્પણમાં ઉમિયાધામ અને ખોડલધામના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. છતાં લેઉવા પટેલ સમાજના મોભી નરેશ પટેલે ભાજપથી દૂરી બનાવી કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. નરેશ પટેલ ક્યાં પક્ષ સાથે જોડાશે તે જાહેર કરવામાં તેણે ખૂબ જ ઢીલ રાખી છે. જો ભાજપ પ્રત્યે લગાવ હોય અને પોતાના સમાજના ભવ્ય કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન આવ્યા હોય છતાં નરેશ પટેલ ગેરહાજર રહે તો આ ખૂબ જ સુચક છે કે તેને ભાજપથી એક અંતર જાળવી રાખ્યું છે.

હોસ્પિટલના નિર્માતા અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું. પરંતુ નરેશ પટેલ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી પહેલા જ જણાવ્યું હતું કે, હું નહીં આવી શકું. જોકે, આમંત્રણ સમયે નરેશ પટેલના નામજોગ આમંત્રણ ન આપતા સોશિયલ મીડિયામાં વિવાદ થયો હતો. આમંત્રણપત્રિકામાં પણ નરેશ પટેલનું નામ નથી અને માત્ર ખોડલધામનો લોગો હતો.નરેશ પટેલ 31 મેના રોજ રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગેનો નિર્ણય જાહેર કરશે તેવું જણાવ્યું હતું. હાલ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે પણ નરેશ પટેલની ચર્ચા ચાલી રહી છે. પરંતુ ભાજપના પણ હાઇકમાન્ડ સાથે નરેશ પટેલ ડિનર ડિપ્લોમેસી કરી ચૂક્યા છે. પરંતુ હાલ પટેલ સમાજ સહિત લોકોમાં પણ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે કે, વડાપ્રધાનની હાજરી અને પાટીદાર સમાજની મેદનીના ભવ્ય સમારોહમાં પાટીદારના મોભી ગણાતા નરેશ પટેલ જ ગેરહાજર રહ્યા.નરેશ પટેલની ગમે તેવી વ્યસ્તતા હોય પરંતુ દેશના વડાપ્રધાન અને મોટી સંખ્યામાં સમાજ ઉમટ્યો હોય છતાં નરેશ પટેલે તેના કાર્યક્રમમાં કોઈ બાંધછોડ કરી નહીં અને હાજરી ન આપી. આ બહુ સુચક વાત છે કે, નરેશ પટેલ ભાજપથી થોડા દૂર રહ્યા છે. તેમજ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે ચર્ચાઓ ચાલી રહી છે. આગામી 31મેના રોજ પોતે ભાજપમાં જોડાઇ તેવું અહીં કોઈ ચિત્ર ઉપસતું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જેવલીન થ્રો માં નવદીપનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાયો, ઈરાનનો પેરા એથ્લેટને કર્યો ડીસક્વોલીફાય

સ્વચ્છ વાયુ એ SMCને અપાવી 1.5 કરોડની ઈનામી રાશિ, વાયુને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, 13 લોકો હોસ્પિટલમાં દાખલ

કયો એવો વર્ડ છે જેને લખાય તો છે પણ વાંચવામાં નથી આવતો ? યુવતીએ પૂછ્યો આ ટ્રિકી સવાલ

Hathras Accident: પાચ ભાઈઓમાથી ત્રણ ભાઈની ફેમિલી ખતમ, આટલી લાશો... કબર ખોદાવવા માટે મંગાવવુ પડ્યુ બુલડોજર

આગળનો લેખ
Show comments