Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં બાળક ન થતાં પડોશી મહિલાએ બાળકીનું અપહરણ કર્યું, પોલીસે 8 કલાકે મુક્ત કરાવી

Webdunia
સોમવાર, 4 ઑક્ટોબર 2021 (10:07 IST)
સુરતના ભટારના શ્રમ વિસ્તારમાં શનિવારે નિસંતાન પડોશી મહિલાએ બાજુમાં રહેતી અઢી વર્ષની બાળકીને રમાડવાના બહાને લઇ જઇ તેનું અપહરણ કરીને રસ્તામાં તેના પ્રેમીને બોલાવી સોંપી દીધી હતી. આ અપહરણ કેસમાં ખટોદરા, સચિન જીઆઇડીસી, પાંડેસરા, ઉમરા પોલીસ અને એસઓજી, ડીસીબી સહિતના 125 પોલીસ જવાનોએ સતત 8 કલાકની શોધખોળના અંતે રવિવારે બાળકીને પાંડેસરાથી શોધી કાઢી હતી. બાળકીને આરોપી મહિલા અને તેના પ્રેમી પાસેથી મુક્ત કરાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસમાં બાળકીના પરિવારે પોલીસને પાડોશી મહિલા બાળકીને દત્તક લેવાની વાત કરતી હોવાની વાત કરી હતી. જેના આધારે ખટોદરા પોલીસે પાંડેસરાથી 36 વર્ષીય સંગીતા ભૈયાલાલ ગુપ્તા (ઇન્દિરા નગર,ભટાર) અને તેના પ્રેમી 41 વર્ષીય રાઘવેન્દ્ર યોગેશ રાજપુતને ઝડપી પાડ્યા હતા. મહિલા નિસંતાન હોવાથી આ બાળકીને અવર નવર રમાડવા લઈ જઈ હતી. મહિલાએ શનિવારે બાળકીને રમવાના બહાને અપહરણ કરી તેના પ્રેમી રાઘેન્દ્રસીંગને બોલાવી બાળકીને આપી દીધી હતી. પ્રેમી બાઇક બાળકીને બેસાડી પાંડેસરામાં તેના ઘરે લઈ ગયો હતો. મહિલા બાળકીનું અપહરણ કરી 3-4 દિવસ પછી ભટારમાં જે જગ્યાએ પતિ સાથે રહેતી હતી ત્યાંથી પતિને છોડી પ્રેમી સાથે ભાગી બાળકીને લઈને રહેવાનો પ્લાન હતો. મહિલાનો પતિ કડિયાકામ કરે છે.

સંબંધિત સમાચાર

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

વજન ઘટાડવું હોય તો આ રીતે કરો ભીંડાનાં પાણીનું સેવન

ફાધર્સ ડે વિશેષ : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

Father's Day 2024 Gift Idea: - ફાધર્સ ડે પર તમારા પપ્પાને આપો આ Gift

Drashti Dhami: મા બનવાની છે TV ની મઘુબાલા, લગ્નના 9 વર્શ પછી થઈ પ્રેંગનેંટ, કહ્યુ છોકરો હોય કે છોકરી

આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ઓડિયો વેડિંગ કાર્ડ થયું વાયરલ, મહેમાનને કરવામાં આવી ખાસ વિનંતી

Disha Patani Birthday: પાયલોટ બનવાનુ હતુ સપનુ અને બની ગઈ અભિનેત્રી, 3 વાર પ્રેમમાં ખાઈ ચુકી છે દગો

સોનાક્ષીના ઝહીર ઈકબાલ સાથે લગ્નથી ખુશ નથી પિતા શત્રુધ્ન સિન્હા, બોલ્યા આજકાલના બાળકો મંજુરી નથી લેતા

આગળનો લેખ
Show comments