Webdunia - Bharat's app for daily news and videos

Install App

જે ગુજરાતમાં સાઇકલ પણ નહોતી બનતી ત્યાં વિમાન પણ બનશે- નરેન્દ્ર મોદી

Webdunia
મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (08:57 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ માટે 9 ઑક્ટોબરે બપોરે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ મહેસાણાના જિલ્લામાં ઐતિહાસિક સૂર્યમંદિરથી ખ્યાત મોઢેરાને સૂર્યઊર્જાથી ચાલતું 'સૌર ગ્રામ' જાહેર કરવા માટેના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
 
તેમણે મહેસાણા જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં.
 
મોઢેરાના કાર્યક્રમમાં ઉપસ્થિત જનસમૂહને વડા પ્રધાન મોદીએ હિન્દી અને ગુજરાતીમાં વક્તવ્ય આપીને તેમની સાથે સંવાદ સાધ્યો હતો.
 
તેમણે કહ્યું, "પહેલાં દુનિયા મોઢેરાને સૂર્યમંદિરના કારણે જાણતી હતી, હવે સૂર્યમંદિરની પ્રેરણા લઈને મોઢેરા સૂર્ય ગ્રામ પણ બની શકે છે માટે મોઢેરા આ બન્ને બાબતો માટે દુનિયામાં એકસાથે ઓળખાશે. હવે મોઢેરા પર્યાવરણવાદી માટે વિશ્વના નકશામાં પોતાનું સ્થાન બનાવી લેશે. ગુજરાતનું આ જ તો સામર્થ્ય છે. જે આજે મોઢેરામાં દેખાઈ રહ્યું છે, તે ગુજરાતના દરેક ખૂણામાં છે."
 
તેમણે સમગ્ર દેશમાં મોઢેરાની સૌર ગ્રામ બનવાની ચર્ચા થઈ રહી હોવાનું જણાવીને સભામાં ઉપસ્થિત જનસમૂહને સૂચક રીતે પૂછ્યું કે, "તમે મને કહો કે આનાથી (સૌર ગ્રામ પ્રોજેક્ટથી) તમારું માથું ગર્વથી ઊંચુ થયું કે ના થયું? તમને પોતાને જીવનમાં કંઈક તમારી સામે થઈ રહ્યાનો આનંદ આવ્યો કે ના આવ્યો?"
 
તેમણે મોઢેરાના સૂર્યમંદિરને ધ્વસ્ત કરવા માટે આક્રમણખોરોના પ્રયત્નોનો ઉલ્લેખ કરતા કહ્યું, "જે મોઢેરા પર અગણિત વખત વિવિધ પ્રકારના અત્યાચારો થયા છે, તે જ મોઢેરા પોતાની પૌરાણિકતાની સાથે સાથે આધુનિકતા માટે પણ વિશ્વ માટે ઉદાહરણરૂપ બની રહ્યું છે. ભવિષ્યમાં જ્યારે પણ દુનિયામાં સૌરઊર્જાની વાત થશે, એટલે મોઢેરા પહેલું નામ દેખાશે, કારણ કે અહીં બધું જ સૌરઊર્જાથી સંચાલિત થઈ રહ્યું છે."
 
વડા પ્રધાન મોદીએ મહેસાણા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં બે દશક અગાઉ પડતી મુશ્કેલીઓ અને બે દાયકામાં થયેલા વિકાસની વિગતો આપી અને જનમેદની પાસેથી તેમના આશીર્વાદ માગ્યા હતા.
 
તેમણે કહ્યું હતું કે 'મહેસાણા અને ઉત્તર ગુજરાતે મને હંમેશાં આંખ બંધ કરીને આશીર્વાદ આપ્યા છે અને મને ભવિષ્યમાં પણ આપતા રહેજો.'
 
મોદીએ ગુજરાતમાં થયેલો વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે જે ગુજરાતમાં સાઇકલ પણ નહોતી બનતી ત્યાં ગાડીઓ બની, મેટ્રોના કોચ બન્યા અને હવે એ દિવસો દૂર નથી કે ગુજરાતમાં વિમાન પણ બનશે.
 
તેમણે મહેસાણા જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં.
 
મોઢેરાના કાર્યક્રમમાં ઉપસ્થિત જનસમૂહને વડા પ્રધાન મોદીએ હિન્દી અને ગુજરાતીમાં વક્તવ્ય આપીને તેમની સાથે સંવાદ સાધ્યો હતો.
 
તેમણે કહ્યું, "પહેલાં દુનિયા મોઢેરાને સૂર્યમંદિરના કારણે જાણતી હતી, હવે સૂર્યમંદિરની પ્રેરણા લઈને મોઢેરા સૂર્ય ગ્રામ પણ બની શકે છે માટે મોઢેરા આ બન્ને બાબતો માટે દુનિયામાં એકસાથે ઓળખાશે. હવે મોઢેરા પર્યાવરણવાદી માટે વિશ્વના નકશામાં પોતાનું સ્થાન બનાવી લેશે. ગુજરાતનું આ જ તો સામર્થ્ય છે. જે આજે મોઢેરામાં દેખાઈ રહ્યું છે, તે ગુજરાતના દરેક ખૂણામાં છે."
 
તેમણે સમગ્ર દેશમાં મોઢેરાની સૌર ગ્રામ બનવાની ચર્ચા થઈ રહી હોવાનું જણાવીને સભામાં ઉપસ્થિત જનસમૂહને સૂચક રીતે પૂછ્યું કે, "તમે મને કહો કે આનાથી (સૌર ગ્રામ પ્રોજેક્ટથી) તમારું માથું ગર્વથી ઊંચુ થયું કે ના થયું? તમને પોતાને જીવનમાં કંઈક તમારી સામે થઈ રહ્યાનો આનંદ આવ્યો કે ના આવ્યો?"
 
તેમણે મોઢેરાના સૂર્યમંદિરને ધ્વસ્ત કરવા માટે આક્રમણખોરોના પ્રયત્નોનો ઉલ્લેખ કરતા કહ્યું, "જે મોઢેરા પર અગણિત વખત વિવિધ પ્રકારના અત્યાચારો થયા છે, તે જ મોઢેરા પોતાની પૌરાણિકતાની સાથે સાથે આધુનિકતા માટે પણ વિશ્વ માટે ઉદાહરણરૂપ બની રહ્યું છે. ભવિષ્યમાં જ્યારે પણ દુનિયામાં સૌરઊર્જાની વાત થશે, એટલે મોઢેરા પહેલું નામ દેખાશે, કારણ કે અહીં બધું જ સૌરઊર્જાથી સંચાલિત થઈ રહ્યું છે."
 
વડા પ્રધાન મોદીએ મહેસાણા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં બે દશક અગાઉ પડતી મુશ્કેલીઓ અને બે દાયકામાં થયેલા વિકાસની વિગતો આપી અને જનમેદની પાસેથી તેમના આશીર્વાદ માગ્યા હતા.
 
તેમણે કહ્યું હતું કે 'મહેસાણા અને ઉત્તર ગુજરાતે મને હંમેશાં આંખ બંધ કરીને આશીર્વાદ આપ્યા છે અને મને ભવિષ્યમાં પણ આપતા રહેજો.'
 
મોદીએ ગુજરાતમાં થયેલો વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે જે ગુજરાતમાં સાઇકલ પણ નહોતી બનતી ત્યાં ગાડીઓ બની, મેટ્રોના કોચ બન્યા અને હવે એ દિવસો દૂર નથી કે ગુજરાતમાં વિમાન પણ બનશે.
 
તેમણે મહેસાણા જિલ્લામાં 3 હજાર 92 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments