Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ભાજપનો વિકલ્પ કોણ છે? કોંગ્રેસ તો નહી, લોકો કઇ પાર્ટી સાથે જોડાશે?

ગુજરાતમાં ભાજપનો વિકલ્પ કોણ
Webdunia
શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (08:47 IST)
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વાત એ પણ છે કે ભાજપનો વિકલ્પ કોંગ્રેસ નહી પરંતુ આમ આદમી પાર્ટી છે. એટલે કે ત્રીજી શક્તિનો સુરજ ધીમે ધીમે ગુજરાતમાં વધી રહ્યો છે. ભાજપમાંથી ટિકીટમાંથી વંચિત ઉમેદવાર અને તેમના સમર્થક આમ આદમી પાર્ટીને મહત્વ આપી રહ્યા છે ના કે કોંગ્રેસને. 
 
ગુજરાતમાં મતદાતાઓને ક્યારેય ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત કોઇ પાર્ટીનું સમર્થન કર્યું નથી, પરંતુ હવે સમય આવી ગયો છે કે ભાજપ અને કોંગ્રેસ વિમુખ થયેલા મતદાતાઓનું આમ આદમી પાર્ટીને સમર્થન મળી રહ્યું છે. જ્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતનો પ્રવાસ કર્યો, તો તેમને અમદાવાદ જેવા શહેરમાં સારી પ્રતિક્રિયા મળી. 
 
આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે. આ પાર્ટી દિલ્હી, હરિયાણા અને પંજાબ બાદ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ પાર્ટી લોકોનું સમર્થન પ્રાપ્ત કરી રહી છે કારણ કે આ જાતિવાદને પ્રોત્સાહન આપતી નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પહેલાં ચૂંટણી લડી નથી, પરંતુ ચૂંટણી લડવાની તેમની પ્રતિભાને જુનૂન અતૂટ છે. 
 
ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત જો ગુજરાતમાં કોઇ પણ પાર્ટી હાવી છે, તો તે એનસીપી સંબંધિત છે. એનસીપીના ઉમેદવાર પણ વિધાનસભામાં ચૂંટાય છે, જોકે એનસીપી કોંગ્રેસનો એક ભાગ છે. પરંતુ આમ આદમી પાર્ટી એકદમ નવી છે અને તેમાં આમ આદમી પણ સામેલ થઇ શકે છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પહેલીવાર દિલ્હીમાં ચૂંટણી લડી, તો તે ભાજપ અને કોંગ્રેંસના અસંતુષ્ટ ન હતા પરંતુ નવા ચહેરા હતા જે આગળ આવ્યા. આ સ્થિતિ ગુજરાતમાં થઇ રહી છે. 
 
જે ઉમેદવારોને છ મહા નગરપાલિકા, પાલિકા ને જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપ દ્રારા ટિકીટ મળી નથી. ટિકીટથી વંચિત અને તેમના સમર્થક આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે અથવા પાર્ટીના ઉમેદવારનું સમર્થન કરી રહ્યા છે. અમદાવાદ અને સુરતાં આમ આદમી પાર્ટીમં સામેલ થવાની ગતિ તેજ થઇ ગઇ છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને અસંતુષ્ટોને આમ આદમી પાર્ટીના રૂપમાં એક નવો વિકલ્પ મળી ગયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments