Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોનાથી 928 બાળકો અનાથ, સરકારી સહાય યોજનાને મળ્યા સ્પષ્ટ આંકડા

Webdunia
ગુરુવાર, 29 જુલાઈ 2021 (14:00 IST)
ગુજરાતમાં મહામારીથી થયેલી તારાજીનું ચિત્ર હવે સ્પષ્ટ થયુ છે.  સુપ્રિમ કોર્ટના આદેશને પગલે કોવિડ -૧૯ થી અનાથ થયેલા બાળકો માટે સરકારે જાહેર કરે સહાય યોજનાને કારણે આ મહામારીથી થયેલી તારાજીનું ચિત્ર વધુ સ્પષ્ટ થયુ છે . કોવિડ -૧૯ મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૯૨૮ બાળકો અનાથ થયા છે. આ મહામારીને કારણે ૩,૩૪૩ બાળકોને પિતાનું છત્ર ગુમાવવુ પડયુ છે. સરકારી સહાય માટે શરૃ થયેલા બાળ સ્વરાજ પોર્ટલ ઉપર ગુજરાતમાં અનાથ અને માતા અથવા પિતા બેઉમાંથી એક અર્થાત એક વાલી ગુમાવનાર શુન્યથી ૧૮ વર્ષ સુધીના ૪,૯૮૧ બાળકો નોંધાયા છે.
 
સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે, કોરોનાકાળના ૧૬ મહિનામાં ૯૨૮ અનાથ સહિત કુલ ૪,૯૮૧ બાળકોમાંથી ૬૨૦ની માતાના પણ અવસાન થયા છે. સરકારે કોવિડ-૧૯ને કારણે અનાથ થયેલા બાળકો માટે ૧૮ વર્ષ સુધી મહિને રૂ .૪,૦૦૦ અને ત્યારબાદ ૨૧ વર્ષ સુધી મહિને રૂ.૬,૦૦૦ની સીધી સહાય ઉપરાંત શૈક્ષણિક અને પગભર થવા માટે અન્ય યોજનાઓ જાહેર કરી છે. જો કે, જાણકારીના અભાવે શરૂઆતમાં રજિસ્ટ્રેશન થતુ નહોતુ. હવે સમાજ કલ્યાણ અધિકારીઓ અને ગ્દય્ર્ંના સહયોગથી ૨૧ જૂલાઈની સ્થિતિએ આ સંખ્યા ૪,૯૮૧એ પહોંચી છે. જેમાં સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં એકવાલી બાળકો નોંધાયા છે. અરવલ્લીમાં ૩૪૯, રાજકોટમાં ૩૪૨, ભાવનગરમાં ૩૦૬ બાળકોના માતા કે પિતાનું કોરોના કાળમાં મૃત્યુ થયુ છે.
 
 કોરાનાની બીજી લહેર વખતે દેશભરમાં મૃત્યુ આંક તેની ચરમસપાટીએ પહોંચ્યો હતો ત્યારે અનેક એવા કિસ્સા સામે આવ્યા જેમાં નાના બાળકોએ કાં તો બંને અથવા પરિવારના મોભી એવા એક વાલીને કોરોનામાં ગુમાવ્યા હોય. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો પિટિશન લઈને કેન્દ્ર સરકારને આવા બાળકો અંગે પણ રાહતનો નિર્ણય લેવા નિર્દેશ કર્યો હતો. જેના પગલે દેશવ્યાપી નીતિ ઘડવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments