Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં વાંદરાએ પીછો કરીને બાળકને બચકું ભર્યું, ભારે જહેમત બાદ પાંજરે પુરાયો

Webdunia
મંગળવાર, 9 જુલાઈ 2024 (17:45 IST)
monkey
 શહેરમાં વાંદરાઓનો આતંક વધી રહ્યો છે.શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વાંદરાએ બચકું ભર્યાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે.ગત બુધવારે સાંજે વસ્ત્રાલની શ્રીધર સ્પર્શ નામની સોસાયટીમાં જ્યારે બાળકો નીચે રમી રહ્યા હતા. ત્યારે અચાનક જ એક વાંદરો આવ્યો હતો, જેને જોઈ બાળકો ડરી ગયા હતા અને ભાગવા લાગ્યા હતા. 15 વર્ષનો એક બાળક ભાગ્યો હતો અને તેની પાછળ વાંદરો પડ્યો હતો. બાળક પડી જતા તેના પગે બચકું ભરીને માંસનો લોચો કાઢી નાખ્યો હતો. બાળક પર કરેલા હુમલાની સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 
 
વાંદરાએ બાળકના પગમાં બચકું ભર્યું હતું
બુધવારે સાંજે વસ્ત્રાલ વિસ્તારમાં શ્રીધર સ્પર્શ ફ્લેટમાં પાંચથી સાત જેટલા બાળકો ફ્લેટની નીચે રમી રહ્યા હતા. ત્યારે અચાનક જ એક વાંદરો આવ્યો હતો, જેને જોઈને બાળકો આમતેમ ભાગવા લાગ્યા હતા. 15 વર્ષનો એક બાળક દોડી અને સીધો પાર્કિંગમાં ગયો હતો. વાંદરો બાળકને જોઈ તેની તરફ ભાગ્યો હતો. બાળક પાર્કિંગમાંથી બહાર નીકળ્યો ત્યારે તે પડી ગયો હતો અને વાંદરાએ તેને પગમાં બચકું ભર્યું હતું. જે બાદ છોકરાએ હિંમત કરી તેને ભગાડ્યો હતો. બાળકને ઈજા થઈ હતી છતાં તે ઊભો થઈ અને વાંદરાના ડરથી ત્યાંથી ભાગવું પડ્યું હતું. બાળકને પગમાં ઈજા થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.
 
4 કલાકની ભારે જહેમત બાદ પાંજરે પુરાયો
સ્થાનિક લોકો દ્વારા વસ્ત્રાલ વોર્ડના ભાજપના કોર્પોરેટર પરેશ પટેલને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી અને ફરિયાદ કરવામાં આવી હતી. તેથી તેઓએ વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝુ વિભાગને જાણ કરી હતી. જેથી ટીમ આવી હતી અને 3થી 4 કલાકની ભારે જહેમત બાદ આ આતંક ફેલાવનાર વાંદરા અને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. વાંદરાને પકડી લેતા છેલ્લા એક અઠવાડિયાથી વસ્ત્રાલ વિસ્તારના રહીશો વાંદરાથી ભયમાં જીવતા હતા તેમાંથી તેઓને મુક્તિ મળી છે.છેલ્લા એક અઠવાડિયામાં 10 જેટલા લોકોને વાંદરાએ બચકા ભર્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments