Webdunia - Bharat's app for daily news and videos

Install App

વારસાની ઉજવણીનાં 10 વર્ષ, 'વોટર ફેસ્ટીવલ'માં રેલાશે સંગીતના સૂર

Webdunia
શુક્રવાર, 15 નવેમ્બર 2019 (11:39 IST)
પ્રસિધ્ધ ભરતનાટ્યમ અને લોકનૃત્ય કલાકાર બિરવા કુરેશી લોકોને સ્મારકોનો પુનઃપરિચય કરાવવા માટે સંગીત મહોત્સવનું આયોજન કરી રહ્યા છે. બિરવા કુરેશી તેમના આ ફેસ્ટીવલ્સના 10મા વર્ષમાં બે કાર્યક્રમો યોજી રહ્યા છે. જેની ખૂબ જ રાહ જોવાઈ રહી છે તેવા આ કાર્યક્રમમાં બુધવારે સંખ્યાબંધ પ્રસિધ્ધ કલાકારો હાજરી આપશે.
 
બિરવા કુરેશી જણાવે છે કે ''ક્રાફ્ટ ઓફ આર્ટની ભવ્ય મજલ આ વર્ષે વિશેષ સિમાચિહ્નરૂપ છે અને અમે આ વર્ષે અમદાવાદ અને જૂનાગઢમાં બે સંગીત મહોત્સવ યોજવાની જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ. સંગીત ક્ષેત્રના ઉંચા દરજ્જાના કલાકારો આ મહોત્સવમાં પર્ફોર્મન્સ આપશે. આ પ્રસંગે ક્લાસીકલ જાઝ, કવ્વાલી અને કેરાલા ટેમ્પલ ડ્રમ રજૂ કરાશે.''
અડાલજની વાવ ખાતે યોજાનારા વોટર ફેસ્ટીવલમાં પ્રસિધ્ધ તબલા વાદક ઉસ્તાદ ફઝલ કુરેશી શ્રોતાઓને તેમના તબલાંના તાલે મંત્રમુગ્ધ કરી મૂકશે. પ્રસિધ્ધ ભારતીય જાઝ પિયાનિસ્ટ લૂઈઝ બેંક્સ કે જેમને ઈન્ડિયન જાઝના ગોડફાધર ગણવામાં આવે છે તે તથા જાઝ અને ભારતીય શાસ્ત્રીય સંગીત વચ્ચે સેતુનું કામ કરી રહેલા નિષ્ણાત સેક્સોફોનિસ્ટ અને ઉત્કૃષ્ટ કમ્પોઝર જ્યોર્જ બ્રુક્સ પણ પર્ફોર્મન્સ આપશે. કિરાના ઘરાનાના આનંદ ભાટે તેમની ગાયકી દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. પ્રસિધ્ધ વાંસળી વાદક રાકેશ ચોરસીયા  અને બાસ પ્લેટર શેલ્ડન ડી' સિલ્વા ગિટારની ક્લાસિકલ કૃતિઓ રજૂ કરશે.
 
સંગીતના ચાહકોને પ્રસિધ્ધ સંગીતકાર અને ડ્રમર જીનો બેંક્સના પર્ફોર્મન્સનો પણ લાભ મળશે. આ  ઉપરાંત 'ડ્રમ્સ ઓફ કેરાલા' કાર્યક્રમમાં 9 ડ્રમ વડે સંગીત પિરસાશે. ફિલ્મ અને રંગમંચના કલાકાર ડેન્ઝીલ સ્મીથ આ સમારંભનું સંચાલન કરશે.
 
બિરવા કુરેશી જણાવે છે કે ''વોટર ફેસ્ટીવલમાં શ્રોતાઓને મધુર સંગીતની વચ્ચે અડાલજની સુંદર વાવની ભવ્યતાનો અનુભવ પ્રાપ્ત થશે.'' મહાબત મકબરા ખાતે જૂનાગઢ હેરિટેજ ફેસ્ટીવલ સમારંભમાં પ્રસિધ્ધ કલાકારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મૂકશે. આ સમારંભમાં જે કલાકારો સામેલ થવાના છે તેમાં સરોદવાદક અયાન અલી બંગશ અને કવ્વાલીના પ્રણેતા નિઝામી બંધુ કવ્વાલ રજૂ થશે. આ સમારંભનું સંચાલન ગુજરાતી ભાષાના કવિ, ગીત લેખક અને ગઝલકાર મિલિન્દ ગઢવી કરશે.
 
ક્રાફ્ટ ઓફ આર્ટ ફેસ્ટીવલનો પ્રારંભ વર્ષ 2010માં થયો હતો અને તેની મારફતે વિવિધ સ્મારકોનો લોકોને અને ખાસ કરીને યુવા પેઢીને પુનઃપરિચય કરાવવાની શરૂઆત થઈ હતી. આ સમારંભ મારફતે સ્મારકો અને કલા વારસાથી દૂર થતી જતી સામાન્ય જનતા અને યુવા પેઢીને જોડવાના પ્રયાસ કરાઈ રહ્યો છે.
 
છેલ્લા 9 વર્ષમાં ગુજરાતમાં 19 સંગીત મહોત્સવ યોજીને આ પ્રયાસને સબળ બનાવવામાં આવ્યો છે. ક્રાફ્ટ ઓફ આર્ટ સ્મારકોને લોકો સમક્ષ લઈ જઈ રહ્યું છે, જેથી લોકો ગુણવત્તાસભર વિષયબધ્ધ સંગીતને માણે અને સ્મારકોની કલાકારીગરી, સૌંદર્ય અને ભવ્યતાનો પરિચય કેળવે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

આગળનો લેખ
Show comments