Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશમાં બધાના નાગરીકોના નામ રામ કરી દો એટલે આપોઆપ વિકાસ થઈ જશે - હાર્દિક પટેલ

દેશમાં બધાના નાગરીકોના નામ રામ કરી દો એટલે આપોઆપ વિકાસ થઈ જશે - હાર્દિક પટેલ
Webdunia
ગુરુવાર, 15 નવેમ્બર 2018 (15:58 IST)
દેશમાં હાલમાં નામકરણ વિધી ચાલી રહી છે ત્યારે સૌથી વધુ વિવાદ અમદાવાદના નામે ચર્ચાઓમાં થઈ રહ્યો છે. આ અંગે હવે હાર્દિક પટેલનું વલણ કંઈક બીજું જ છે. હાર્દિક પટેલે જણાવ્યું કે જો ફક્ત શહેરોના નામ બદલવાથી વિકાસ થઇ શકે છે અથવા આ દેશ સોનાની ચિડિયા બની શકે છે તો બીજું કોઇ વિશેષ કામ કરવાની જરૂર છે. તેણે જણાવ્યું કે દેશને સોનાની ચિડિયા બનાવવા માટે તમામ 125 કરોડ લોકોનું નામ રામ રાખવું જોઈએ. આ દેશમાં બેરોજગારી અને ખેડૂતોનો પ્રશ્ન મોટો છે. પરંતુ હાલની સરકાર નામ બદલવાની અને મૂર્તિઓના ચક્કરમાં છે.ઉલ્લેખનીય છે કે હાર્દિક ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં શ્રી કલ્કિ મહોત્સવના ઉદ્ધાટન સમારોહમાં ભાગ લેવા પહોંચ્યો હતો. અહીં સમ્મેલનમાં તેના સાથી કાર્યકર્તાઓએ તેનું દિલથી સ્વાગત કર્યું હતું. તેણે જણાવ્યું કે તે આવતી કાલે લખનઉમાં ખેડૂતો અને યુવા સંગઠનોના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી લગ્ન પીઠી રીત

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments