Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિકે દાવો કર્યો, ઉપવાસ આંદોલનમાં ઉદ્ધવ ઠાકરે અને કેજરીવાલ ઉપસ્થિત રહેશે

Webdunia
ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (13:04 IST)
૨૫ ઓગસ્ટથી શરૂ થનારા ઉપવાસ આંદોલનમાં શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ આવશે. આવો દાવો પાટીદાર અનામત આંદોલનના હાર્દિક પટેલે કર્યો છે. પાટીદારોના ઉપવાસ આંદોલન માટે ગુજરાત સરકાર કે અમદાવાદ પોલીસે હજુ સુધી મંજૂરી આપી નથી. હાર્દિક પટેલના કહેવા મુજબ સરકાર ગાંધીનગરમાં મંજૂરી આપશે તો ગાંધીનગર, નિકોલમાં આપે તો નિકોલમાં અને મંજૂરી ન આપે તો હું ઘરે બેસીને પણ પાટીદારોને અનામત મળે, ખેડૂતોના દેવા માફ થાય તેના માટે ૨૫મી ઓગસ્ટથી ઉપવાસ આંદોલન કરીશ. જેમાં પાટીદાર આંદોલનકારીઓ ઉપરાંત, પાટીદાર ધારાસભ્યો પણ જોડાશે. પશ્ચિમ બંગાળ, દિલ્હીના મુખ્યમંત્રીઓ, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, શિવસેના સુપ્રિમો સહિત લોકશાહી માટે લડનારા તમામ નેતાઓને ઉપસ્થિત રહેશે. આ તમામની આગેવાનો સાથે મારે ફોન ઉપર વાત થઈ છે. તેમણે સર્મથન આપ્યુ છે અને ઉપવાસ આંદોલનમાં તબક્કાવાર પાટીદારો, ખેડૂતોના સર્મથન માટે ગુજરાત પણ આવશે. આંદોલન માટે સરકાર મંજૂરી આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
 
 

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments