Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનામતની ચર્ચા કરી જ નથી, આંદોલન ચાલુ જ રહેશે:હાર્દિક

Webdunia
બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (12:55 IST)
સરકાર સાથે બેઠક કરીને સ્વર્ણિમ-૨ સંકુલની બહાર આવેલા પાસનાં હાર્દિક પટેલ અને એસપીજીના લાલજી પટેલે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં બન્ને અગ્રણીઓએ જૂદા જૂદા મંતવ્યો આપ્યા હતા. હાર્દિકે એવું કહ્યું હતું કે આ ચર્ચા સારી રહી હતી પરંતુ કોઇ પરિણામ આવ્યું નતી માટે અમારી લડત ચાલુ જ રહેશે. બન્ને આગેવાનોએ કહ્યું કે આંદોલન અનામત માટે હતું. જેની કોઇ ચર્ચા જ આ બેઠકમાં નથી થઇ. બાકીની જે માગ હતી એ તો સરકારની ભૂલોને કારણે ઊભી થઇ છે. એ માગણી પૂરી કરે તો એ બાબત સરકારની 'ભૂલ સુધારણા' કહેવાય. પાટીદારોની માગણી પૂરી થઇ ના કહેવાય. બે દિવસમાં કેસો પાછા ખેંચવાનો આદેશ અને બન અનામત આયોગની જાહેરાતને આવકારીશું. પરંતુ બેઠકમાં પાટીદારોને અનામત આપવા સંદર્ભની કોઇ જ વાતચીત સરકારે કરી નથી કે અમને બોલવા દીધા નથી. આયોગ અને તપાસ કરવા માટે સીટની રચનાનો સત્તાવાર નિર્ણય સરકાર જાહેર કરશે પછી જ અમે આગળની રણનીતિ ઘડીશું. પાસ અને એસપીજીનાં હોદેદારો પણ મીડિયા સમક્ષ અલગ અલગ વાતો કરતાં હતા. જેમાં તેઓએ કહ્યું કે, સરકાર એવું કહે છે કે પહેલા આંદોલન સમાપ્ચ કરો પછી જ રાજદ્રોહનાં કેસો પાછા ખેંચાશે. ખરેખર તો સમાધાન કરતી વખતે આવી કોઇ શરત હોવી જોઇએ નહીં. આ બેઠક નિષ્ફળ ગઇ છે. અમે આંદોલન ચાલુ જ રાખીશું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

કયું ફળ ફ્રીજમાં ન મુકવું જોઈએ ? સ્વાદ બગડશે, સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડશે

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

આગળનો લેખ
Show comments