Festival Posters

UPSCમાં અમદાવાદના 3 સહિત ગુજરાતમાંથી 31 ઉમેદવારો પાસ

Webdunia
બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (15:59 IST)
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા લેવાયેલી જુદી-જુદી કેડર માટેની સિવિલ સર્વિસની પરીક્ષાનું બીજા તબક્કાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી કુલ 31 ઉમેદવારો પાસ થયાની પ્રાથમિક માહિતી મળી છે. અમદાવાદીઓ માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતના કુલ 31 ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારો અમદાવાદના મોહિત પંચાલ, તુષાર પટેલ અને સાગર માલવિયા છે. બીજા તબક્કામાં દેશભરમાંથી કુલ 2961 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. ત્રીજા તબક્કા માટે 20મી માર્ચના રોજ ઇન્ટરવ્યુ લેવાશે. તમામ ઉમેદવારોના 1079 જગ્યા માટે ઇન્ટરવ્યુ લેવાશે.

યુપીએસસીની તરફથી આયોજીત સિવિલ સેવાની આ પરીક્ષા આઇએએસની પસંદગીના બીજા તબક્કાની હોય છે. આમાં સફળ થનાર ઉમેદવારો ત્રીજા તબક્કા એટલે કે ઇન્ટરવ્યુ માટે પસંદ કરાયા છે. ત્રીજા તબક્કામાં સફળ ઉમેદવારોને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) માટે પસંદ કરાય છે. પરીક્ષાનું પરિણામ જોવા માટે ઉમેદવારો યુપીએસસીની વેબસાઇટ (upsc.gov.in) પર જોઇ શકાશે. બીજા તબક્કાની પરીક્ષા 3થી 9મી ડિસેમ્બર, 2016ના રોજ આયોજીત થઇ હતી. મળતી માહિતી પ્રમાણે ત્રણ પરીક્ષાર્થીઓનું પરીક્ષા પરિણામા રોકી દેવામાં આવ્યું છે. પરીક્ષામાં નાપાસ થનારના પરિણામની જાહેરાત 15 દિવસમાં આયોગની વેબસાઇટ પર જોઇ શકે છે. આપને જણાવી દઇએ કે યુપીએસનની આ પરીક્ષાના માધ્યમથી લાખો યંગ સિવિલ સર્વિસીસ, વિદેશ સર્વિસ, અને પોલીસ સર્વિસ માટે પોતાનું નસીબ અજમાવે છે. અગાઉ આજનું પરિણામ 15મી જાન્યુઆરીના રોજ જાહેર થવાની ચર્ચા હતી, પરંતુ ગયા વર્ષે પણ યુપીએસસી એ 19મી ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર કર્યું હતું.

ગુજરાતમાંથી પાસ થનાર વિદ્યાર્થીઓના નામની યાદી
1. પંકજ દેસાઈ
2. ચિરાગ ભોરાણિયા
3. હિમાલા દોશી
4. રાજતનિલ સોલંકી
5. અંકુર દેસાઈ
6. દેવેન કેશવાલા
7. સંદીપ વર્મા
8. મોહિત પંચાલ
9. તુષાર પટેલ
10. સાગર માલવિયા
વધુ જુઓ..

જરૂર વાંચો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments