Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખજાનાની શોધમાં 1200 વર્ષ જૂના શિવ મંદિરમાં ચોરોનું કર્યું ખોદકામ

Webdunia
શુક્રવાર, 30 જુલાઈ 2021 (11:06 IST)
સુરેન્દ્રનગર જિલ્લામાં આશ્વર્યજનક કિસ્સો સામે આવ્યો છે. થાનગઢ તાલુકના દૂરસ્થળ વિસ્તારમાં સ્થિત 1200 વર્ષ જૂના શિવમંદિરમાં ખજાનો છુપાયેલો હોવાની અફવાઓને સાચી માનીને કેટલાક અજાણ્યા લોકોએ મંદિરના ગર્ભમાં શિવલિંગ હટાવીને ખોદકામ શરૂ કર્યું. પોલીસ કેસની તપાસ કરી રહી છે. હાલ કોઇના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ નથી. 
 
થાનગઢ પોલીસના ઇન્સ્ટેક્ટર એમડી ચૌધરીએ જણાવ્યું કે પ્રાચીન મંદિરમાં ઘણા લોકો જતા નથી અને આ એક સરંક્ષિત સ્થળ છે અને ખૂબ જર્જરિત સ્થિતિ છે. કેટલાક સ્થાનિક લોકો નિયમિત અંતરે મંદિરમાં પૂજા કરવા માટે જાય છે. અધિકારીએ કહ્યું કે પોલીસ પાસે કોઇ સત્તાવાર ફરિયાદ નોંધાઇ નથી, જ્યારે શરૂઆતી તપાસથી એવું લાગે છે કે ચોરોએ પરિસરમાં ખજાનો છુપાયેલો હોવાની અફવા પર વિશ્વાસ કરી લીધો છે. 
 
હાલ મૂર્તિઓને ગ્રામજનોની મદદથી તેમના મૂળ સ્થાન પર સ્થાપિત કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ મંદિર પરિસરની અંદર બે ખાડા ખોદેલા જોવા મળ્યા. ત્યારબાદ પોલીસને સૂચના આપી. અધિકારીએ જણાવ્યું કે આ મંદિર જામવાડી ગામ પાસે આવેલું છે અને 1200 વર્ષ જૂનુ છે. તેમણે કહ્યું કે ખજાનાની શોધમાં કોઇએ શિવલિંગને હટાવીને ગર્ભગૃહની અંદર એક ફૂટ ઉંડો ખાડો ખોદ્યો છે. 
 
આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા જ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. મામલતદાર અને પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે ગયા હતા. તેમજ થાન પોલીસની ટીમે પણ આવીને ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, ખોદકામ કોણે કર્યું અને કયા સમયે કર્યુ તે વિશે હજી માહિતી મળી નથી.
 
પોલીસે જણાવ્યું કે આરોપીએ શિવલિંગને ધ્યાનથી દીવાલ પાસે રાખવામાં આવ્યું અને તેને કોઇ નુકસાન પહોંચ્યાડ્યું નથી. અધિકારીએ જણાવ્યું કે આરોપીએ ફરી નંદીની મૂતિને પણ હટાવી જે ગર્ભ ગૃહની બહાર સ્થિત છે. અને પછી ત્યાં ત્રણ ચાર ફૂટ ઉંડો ખાડો ખોદ્યો છે. તેમણે કહ્યું કે આ વિશે કોઇ એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments