Webdunia - Bharat's app for daily news and videos

Install App

26મી જાન્યુઆરીની જાહેરાત બાદ આજે સાબરમતી જેલમાંથી 95 કેદીઓ મુક્ત કરાયા

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (10:44 IST)
26મી જાન્યુઆરીના દિવસે થયેલ જાહેરાત પ્રમાણે આજે સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને મુક્તિ આપવામાં આવી હતી. અમદાવાદની સાબરમતી જેલમાંથી 95 કેદીઓને છોડવામાં આવ્યા હતાં જેમાં 80 પુરૂષો અને 15 મહિલા કેદીઓનો સમાવેશ થાય છે. તેમને લેવા પરિવારજનો આવતા લાગણીસભર દ્રશ્યો ઉપસી આવ્યાં હતાં. જેલના પોલીસ કર્મચારીઓએ કેદીઓનુંં મોઢું મીઠું કરાવીને એક બુક આપી હતી.આજે સાબરમતી જેલમાં બપોરના 1 વાગ્યાની આસપાસ 95 કેદીઓને છોડવામાં આવ્યા હતાં. 26મી જાન્યુઆરીના દિવસે રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ જેલોમાં સજા ભોગવતા કેદીઓને રાજ્ય સરકારે પ્રજાસત્તાક પર્વની અપ્રતિમ ભેટ આપી સંવેદનશીલ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના અંદાજે ૪૩૯ જેટલા કેદીઓને સજામાંથી માફી અપાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, જે કેદીઓ રીઢા ગુનેગાર છે, કેન્દ્ર અને રાજ્ય સરકારના મોટા ગુનાઓ જેવા કે ટાડા, પોટા, નેશનલ સિક્યુરિટી એક્ટ, આર્મ્સ એક્ટ, વિસ્ફોટક સામગ્રી, ફેમા હેઠળ સજા ભોગવતા કેદીઓનો સમાવેશ કરાયો નથી. આ ઉપરાંત એક કરતાં વધુ ખૂનમાં સંડોવાયેલા, દહેજ પ્રતિબંધક ધારાઓના આરોપી, લૂંટ અને ધાડ કેસના આરોપી, બળાત્કારના આરોપી તથા જાલી નોટ બનાવવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓને છોડવામાં આવશે નહીં, એમ તેમણે ઉમેર્યું હતું.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments