Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરવલ્લીમાં ભારે વરસાદઃ ભિલોડા-શામળાજી રોડ બંધ, ગામડાઓને એલર્ટ કરાયા

Webdunia
બુધવાર, 27 જૂન 2018 (12:50 IST)
રાજસ્થાનમાં ભારે વરસાદે કારણે અરવલ્લીની હાથમતી અને બુઢેલી નદીમાં ધોડાપૂર આવ્યા છે. ભારે વરસાદને પગલે તંત્રએ શામળાજી-ભિલોડા રોડ બંધ કરાવ્યો હતો. બીજી તરફ રતનપુર ખાતે નેશનલ હાઇવે નંબર-8 પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. રાજસ્થાનમાં ગત રાત્રીએ ઉદયપુર, ડુંગરપુર અને રતનગઢમાં ભારે વરસાદ પડ્યો હતો.  રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે જ સરહદે આવેલા અરવલ્લી જિલ્લાની હાથમતી અને બુઢેલી નદીમાં ઘોડાપૂર આવ્યા છે.રાજસ્થાનમાં ભારે વરસાદ અને બુધવારે ભિલોડામાં એક જ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના ટાકાટુકા, ઉબસલા, બોલુન્દ્રા, ઢોલવાણી, સિલાસણ ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભિલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં ધોડાપૂર આવ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરાયા છે.
નદીનું સ્તર જો હજી પણ વધશે તો નીચાણવાળા ગામડાઓના લોકોનું સ્થળાંતર કરાવવાની ફરજ પડી શકે છે. હાથમતી નદી રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશે છે. ગઈકાલે રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદ તેમજ મંગળવાર રાતથી અરવલ્લી જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે બંને નદીમાં પૂર આવ્યાં છે. શામળાજી અને ભિલાડામાં ગઈકાલ રાતથી જ વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે ગઈકાલે જ હાથમતી નદીમાં નવા નીર આવ્યા હતા, પરંતુ રાત્રે પડેલા વરસાદને કારણે બુધવારે સવારથી જ નદી તોફાની બની હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મામલતદાર સહિતના અધિકારીઓ કામે લાગી ગયા છે. તલાટી મંત્રીઓના મારફતે નદીના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિકોને નદી કાંઠે ન જવાની સૂચના પણ આપી દેવામં આવી છે.  છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં આઠ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. મંગળવાર રાતથી પડી રહેલા વરસાદને કારણે શામળાજીમાં મંદીર તરફ જવાનો રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. મોડી રાતથી શરૂ થયેલી વરસાદ હાલ પણ ચાલુ જ છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments