Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છમાં શિપિંગ કંપનીઓ દ્વારા પાકિસ્તાનના કન્ટેનરોનું બુકિંગ બંધ

Webdunia
શનિવાર, 1 ઑક્ટોબર 2016 (14:01 IST)
કચ્છમાં સ્થિત ગુજરાતના પ્રસિદ્ધ બે બંદરો કંડલા અને મુન્દ્રાથી આયાત નિકાસનો વ્યવહાર થોડા વર્ષોથી ઘટતો ગયો છે. કેટલીક લાઈનર કંપનીઓ દ્વારા પાકિસ્તાનના કોઇ પણ કન્ટેનર ઓર્ડર ન લેવાનું નક્કી કરી તે અંગે કર્મચારીઓને મેઈલ મોકલવામાં આવતા ખાનગી રાહે પણ દેશભક્તિનો જુવાળ જાગ્યો છે. વર્ષો સુધી ત્રાસવાદી હુમલા સહન કર્યા બાદ ભારતે પીઓકેમાં  સર્જિકલ સ્ટ્રાઇક્સ દ્રારા 8 આતંકવાદી કેમ્પોને તબાહ કર્યાના સમાચાર વાયુવેગે શુક્રવારે સર્વત્ર પ્રસર્યા બાદ લોકોમાં દેશભક્તિનો જુવાળ ઉડીને આંખે વળગે તેવો ઉઠવા પામ્યો હતો. જેની અસર કંડલા, મુન્દ્રા થકી થતા શિપિંગ કારોબારમાં પણ દેખાઈ હતી. એક સમયે કોટન, સુગર, ટાઈલ્સ, મીનરલ્સ સહિતની વસ્તુઓ મોટા પ્રમાણમાં મુન્દ્રા અને કંડલાથી કરાંચી જતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ કારોબારનો આંક લગાતાર નીચે આવી રહ્યો છે.  તો અન્ય કેટલીક ખાનગી કંપનીઓએ પણ પાકિસ્તાન સાથેનો કારોબાર બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું. આ નિર્ણય પાછળ સરકારનું કોઇ દબાણ છે કે નહીં તે અંગે તપાસ કરતા તેવું કશું ન હોવાનું પણ બહાર આવ્યું હતું.  
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments