Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારે જાહેર કરી વર્ષ 2021ની સરકારી રજાઓની યાદી, જુઓ લિસ્ટ

Webdunia
મંગળવાર, 3 નવેમ્બર 2020 (09:43 IST)
હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. તે દરમિયાન રાજ્ય સરકારે વર્ષ 2021 માટે સરકારી રજાની જાહેરાત કરી દીધી છે. વર્ષ 2021માં કુલ 22 સાર્વજનિક રજાઓ સાથે સાથે 44 અનિવાર્ય રજા છે. જોકે જે સાર્વજનિક રજા રવિવારે આવતી હતી, તે આ યાદીમાં સામેલ નથી. વૈકલ્પિક રજાઓમાંથી, રવિવારે કુલ આઠ રજાઓ આવે છે. એટલા માટે આ યાદીમાં રાખવામાં આવી નથી. મહાવીર જયંતિ, સ્વતંત્રતા દિવસ, રક્ષા બંધન અને સરદાર પટેલ જયંતિ રવિવારે આવે છે. 
 
વર્ષ 2021માં બેંક માટે કુલ 16 રજાઓ જાહેર કરવામાં આવી છે. જેમાંથી પાંચ રજાઓ રવિવારે આવે છે. રવિવારે આઠ રજાઓ આવતી હોવાથી તેને ફરજિયાત રજા જાહેર કરવામાં આવી નથી. સરકાર કર્મચારી ધાર્મિક પ્રતિબંધો વિના પોતાની પસંદની મેક્સિમમ બે ફરજિયાત રજાનો આનંદ માણી શકશે. આ પહેલાં એક અરજી કરવી પડશે. વર્ષ 2021માં મકર સંક્રાંતિ ગુરૂવારે આવે છે. જ્યરે 12 જુલાઇના રોજ અષાઢી બીજ આવે છે. જ્યારે બેંક માટે મકરસંક્રાંતિ, ગણતંત્ર દિવસ,11 માર્હ્ક શિવરાત્રિ અને 29 માર્ચના રોજ ધૂળેટીની રજા રહેશે. 
 
સરકાર દ્વારા જાહેર એક યાદી અનુસાર, બેંક કર્મચારીઓને આગામી વર્ષ કુલ 16 દિવસની રજા મળશે. જ્યારે મહાવીર જયંતિ, સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, સરદાર પટેલ જયંતિ અને ક્રિસમસ શનિવારે અને રવિવારે આવી રહ્યા છે, તેને તેમને સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી નથી. સામાન્ય રીતે ઇમરજન્સી રજાને મંજૂરી આપનાર એક અધિકારી કામના મહત્વને જોતાં રજા આપવામાં સક્ષમ રહેશે. જોકે સરકારે શનિવાર અને રવિવારની રજા માટે એક અલગ શિડ્યૂલ આપ્યું છે. 
 
સરકારી કર્મચારી પોતાની પસંદ અનુસાર બે દિવસની રજા લઇ શકે છે જેને આકસ્મિત રજા ભાગમાં ઉમેરવામાં નહી આવે. જો મુસ્લિમોના દિવસે જાહેર કરવામાં આવેલી રજા દિવસે તહેવાર આવતો નથી તો જે દિવસે તહેવાર ઉજવવામાં આવશે તે દિવસે સરકાર દ્વારા તે મુસ્લિમ કર્મચારીઓને ફરજિયાત રજાના રૂપમાં આપવમાં આવશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments