Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભ્રષ્ટાચારી તો ભગવાનને પણ નથી છોડતા, પાવાગઢમાં ચઢતી ચાંદીની ઘટ 10 ટકાથી વધીને 40 ટકા પહોંચતા કૌભાંડની આશંકા

Webdunia
શનિવાર, 13 જુલાઈ 2019 (13:06 IST)
ગુજરાતની શક્તિપીઠ પાવાગઢના મહાકાળી મંદિરમાં ચઢતી ચાંદીની ઘટ 10 ટકાથી વધીને 40 ટકા સુધી પહોંચી છે. મંદિરના જ ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટીએ સમગ્ર કેસની તપાસ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટે ચેરિટી કમિશનરને યોગ્ય પગલા લેવા આદેશ કર્યો છે. આ અંગે 2 સપ્તાહમાં રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.

પાવાગઢના મહાકાળી મંદિરના ટ્રસ્ટીઓ સામે મંદિરના અન્ય ટ્રસ્ટી કૈલાસ ઠાકોર તરફથી એડવોકેટ કૃનાલ શાહે કરેલી અરજીમાં એવી રજૂઆત કરી છે કે મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવાતી ચાંદીને ઓગાળવા માટે લઇ જવાય ત્યારે અને ઓગાળીને પાછી આવે ત્યારે તેમાં 40 ટકા ઘટ પડી રહી છે. પાંચ વર્ષ અગાઉ આ ઘટ 10 ટકા આવતી હતી તે વધી ગઇ છે. વચ્ચેની ઘટ અંગે ટ્રસ્ટીઓ દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. 580 કિગ્રા ચાંદી ગાળવા માટે મોકલી હતી, તે ગાળીને પાછી આવી ત્યારે માત્ર 170 કિગ્રા પાછી આવી હતી. દર વર્ષે આશરે 3થી 4 કરોડ રૂપિયાની ચાંદીની ઘટ કોણ લઇ જાય છે-તે અંગે તપાસ કરવા દાદ માગવામાં આવી છે. આ અંગે જસ્ટિસ એ.વાય કોગ્જેએ જોઇન્ટ ચેરિટી કમિશનરએ આપેલા તપાસ અહેવાલને ચેરિટી કમિશનરે 2 સપ્તાહમાં ચકાસીને યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો છે.

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments