Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘેલા સોમનાથ શિવલિંગ પર જળાભિષેક ન કરવા દેવા પીએમ સુધી પહોંચ્યાં અધિકારી

Webdunia
શનિવાર, 27 જાન્યુઆરી 2018 (14:57 IST)
ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરુપે વેરાવળના સોમનાથ મહાદેવ જેટલા પૂજાય છે તેમ જ જસદણ તાલુકામાં આવેલ ઘેલા સોમનાથ મહાદેવમાં પણ શ્રદ્ધાળુઓ આસ્થાનો અભિષેક કરવા છે. અતિ રળિયામણા આ મંદિરે ભક્તોનો પ્રવાહ બારેમાસ રહે છે અને તેમની ભાવભર્યાં હદય સાથે ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક થતો રહે છે. આ જળાભિષેકને લઇને શિવલિંગને નુકસાન થતું હોવાની ભારે રજૂઆત પીએમ મોદી સુધી પહોંચી છે.

શિવલિંગને જળાભિષેકથી ભારે નુકસાન થઇ રહ્યું હોવાની રજૂઆત કરનાર ગાંધીનગર ઓએનજીસી અધિકારીએ પીએમ મોદી ઉપરાંત રાજકોટ ક્લેક્ટર અને સીએમ રુપાણીને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે.  સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલાં ઉજ્જૈન મહાકાલ શિવલિંગને બિનજરુરી જળાભિષેક કરવાની મનાઇ ફરમાવી છે ત્યારે ઘેલા સોમનાથ મહાદેવને પણ બિનજરુરી જળાભિષેકથી બચાવી પોપડીઓ ઉખડતી અટકાવવાનો અધિકારીનો હેતુ છે. ફરિયાદી વિપીન પંડ્યા આ મંદિર સાથે પેઢીઓથી સંકળાયેલાં પણ છે. રુપિયા લઇને શિવલિંગ પર જળાભિષેકની પ્રવૃતિનો તેમનો વિરોધ છે.ઘેલા સોમનાથ શિવવિંગ પર સતત જળાભિષેકના કારણે શિવલિંગને નુકસાન થતું હોવાનું તેઓ જણાવે છે. પરવાનગી મળે તો દિલ્હીથી ભૂસ્તરશાસ્ત્રીઓ પાસે તપાસ કરાવવાની પણ તેમની તૈયારી હોવાનું જણાવ્યું છે. જોકે મંદિરના સંચાલકો આ મુદ્દે જણાવે છે કે મહોમદ બેગડાએ આ શિવલિંગને હથોડા માર્યાં હતાં તેના નિશાન છે. સોમનાથ મહાદેવ પર મુસ્લિમ આક્રમણખોરોના અવારનવાર હુમલાઓથી સોમનાથ મહાદેવના શિવલિંગને ઘેલા નામના વેપારીએ શિવભક્તે સોમનાથ મહાદેવના શિવલિંગની સ્થાપના કરી હતી અને આ શિવલિંગ જ અસલ સોમનાથ મહાહેવ હોવાનું માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમની સત્તાવાર પહેલી ગુજરાત મુલાકાત લીધી ત્યારે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરી આશીર્વાદ લીધાં હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

સાઉથ ઈંડિયન ખીચડી

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

આગળનો લેખ
Show comments