Webdunia - Bharat's app for daily news and videos

Install App

અધિકારીની ચિમકી બાદ વડોદરામાં ખેડૂતોએ ગુલાબના ફૂલો ફેંકીને વિરોધ કર્યો

Webdunia
બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (14:35 IST)
વડોદરાના ખંડેરાવ માર્કેટમાં ગુલાબના ફૂલો વેચવા માટે આવતા ખેડૂતો પર કોર્પોરેશને લાદેલા પ્રતિબંધના વિરોધમાં આજે સવારે ખેડૂતોએ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર ફૂલો ફેંકી દઇ વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ હજારો કિલો ફેંકી દીધેલા ગુલાબના ફૂલોથી સમગ્ર વિસ્તારમાં ગુલાબની સુંગધની મહેંકી ઉઠ્યા હતા. પરંતુ ખેડૂતોના દિલને ઠેસ પહોંચી હતી. 2014ની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વડોદરામાં મોદી પર જે સ્થળે જનતાએ પુષ્પવર્ષા કરી હતી તે સ્થળે જ આજે ખેડૂતોએ કોર્પોરેશનની વિરોધમાં ફૂલ વર્ષા કરી હતી. 


પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના કિનારે આવેલા 20થી 25 જેટલા ગામના ખેડૂતો ગુલાબની ખેતી કરે છે. કરજણ તાલુકાના નર્મદા નદીના કિનારે આવેલા 25 જેટલા ગામોની જમીનનું વાતાવરણ ગુલાબની ખેતી માટે સાનુકૂળ હોવાથી મોટા પ્રમાણમાં ગુલાબની ખેતી થાય છે. આ ગામડાઓના ખેડૂતો ગુલાબની ખેતી ઉપર જ નભે છે. ગુલાબની ખેતી કરતા ખેડૂતો રોજ આખી રાત ગુલાબ તોડે છે. અને વહેલી સવારે વડોદરા ખંડેરાવ માર્કેટમાં ગુલાબ લાવીને છૂટક તેમજ નાના-મોટા વેપારીઓને જથ્થાબંધ ભાવે વેચીને ચાલ્યા જતા હોય છે. રોજ સવારે 2 કલાક માટે જ ખંડેરાવ માર્કેટમાં ગુલાબ વેચવા માટે આવતા ખેડૂતો રોજના 500 કિલો જેટલા ગુલાબ વેચતા હોય છે. ગુલાબ વેચવા માટે આવતા ખેડૂત સંજય માછી અને કમલેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર સેવાસદનના અધિકારી મંગળવારે સવારે માર્કેટમાં આવ્યા હતા. અને ખેડૂતોને જણાવ્યું હતું કે, ખંડેરાવ માર્કેટમાં ગુલાબના ફૂલો વેચવા માટે બેસવું નહીં. જો તમે ગુલાબ વેચવા માટે ખંડેરાવ માર્કેટમાં આવશો તો તમારા ગુલાબ રોડ પર ફેંકી દઇશું. તેવી ચિમકી આપી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

કયું ફળ ફ્રીજમાં ન મુકવું જોઈએ ? સ્વાદ બગડશે, સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડશે

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

આગળનો લેખ
Show comments