Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારે કહ્યું 'એક મહિનામાં 500થી વધુ ગેરકાયદેસર ધાર્મિકસ્થળ તોડી પાડ્યાં

Webdunia
મંગળવાર, 23 જુલાઈ 2024 (16:00 IST)
ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું છે કે તેણે ગત એક મહિના દરમિયાન જાહેરસ્થળો ઉપર બાંધવામાં આવેલાં 503 ધાર્મિકમાળખાં તોડી પાડ્યાં છે.
 
સરકારના જવાબ મુજબ, 267 માળખાં મહાનગરપાલિકાઓના હદવિસ્તારમાં આવતાં હતાં, જ્યારે 263 જિલ્લાઓમાં આવેલાં હતાં. સત્તાધીશોએ બે માળખાંને નિયમિત કરી આપ્યાં હતાં, જ્યારે 28ને સ્થાનાંતરિત કર્યાં છે.
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બૅન્ચ સમક્ષ રજૂઆત કરતા ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જાહેરરસ્તા, બગીચા કે અન્ય સાર્વજનિકસ્થળોએ બાંધવામાં આવેલાં બે હજાર 975 ધાર્મિકસ્થળોને નોટિસો કાઢવામાં આવી છે.
 
જેમાંથી બે હજાર 21 મ્યુનિસિપલના જ્યારે 954 જિલ્લાના હદવિસ્તરોમાં આવેલા છે. આ ધાર્મિકમાળખાંને શાંતિપૂર્વક હઠાવી દેવાં અથવા તોડી પાડવાં માટે સત્તાધીશોએ ધાર્મિકનેતાઓ સાથે બેઠકો પણ કરી હતી.
 
ઍપ્રિલ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે સાર્વજનિકસ્થળોએ બાંધવામાં આવેલાં ગેરકાયદેસર ધાર્મિકમાળખાંને તોડી પાડવા માટે રાજ્ય સરકારને ત્રણ મહિનાની મુદ્દત આપી હતી. જોકે, બે મહિના દરમિયાન આદર્શ આચારસંહિતા લાગુ હોવાથી સરકાર ગત એક મહિના દરમિયાન જ કાર્યવાહી કરી શકી હતી.
 
રાજ્ય સરકાર દ્વારા જાહેરસ્થળોએ ધાર્મિકસ્થળ ન બને તથા આવાં દબાણો હઠાવવાં માટે સમિતિઓ બનાવવામાં આવી છે અને નૉડલ ઓફિસર નિમવામાં આવ્યા છે. હાઈકોર્ટે કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકારને બે મહિનાનો સમય આપ્યો છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments