Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં હવે રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો, 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે હોટલ અને રેસ્ટોરેન્ટ

ગુજરાત
Webdunia
મંગળવાર, 30 જૂન 2020 (13:08 IST)
અનલોક 1 ની સમયમર્યાદા 30 જૂને પુરી થઇ રહી છે. આ સાથે જ અનલોક 2ની જાહેરાત કરવામાં આવી છે જેમાં કેટલીક ગતિવિધિઓમાં છૂટ રહેશે પરંતુ કેટલીક પાબંધીઓ સાથે. કંન્ટેનમેંટ ઝોનમાં સખત રહેશે જ્યારે કંન્ટેનમેંટ ઝોનથી બહારના વિસ્તારમાં છૂટ આપવામાં આવશે. નવી ગાઇડ લાઇન 1 જુલાઇથી લાગૂ થશે. 
 
ગુજરાતમાં હવે અનલોક 2 દરમિયાન રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. તો બીજી તરફ હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યાથી માંડીને સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. આ અનલોક 2ની ગાઇડલાઇન 31 જુલાઇ સુધી લાગૂ રહેશે. 
 
આ પહેલા અનલોક 1માં સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો હતો. આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપી છે. જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
 
ગુજરાતમાં સોમવારે કોવિડ 19 એક દિવસમાં સૌથી વધુ 626 નવા કેસ આવતાઅની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 32,023  થઇ ગઇ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments