Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેનામી પ્રોપર્ટીની માહિતી આપી 25 લાખ સુધીનું ઈનામ મેળવો - ACBની બમ્પર ઓફર

Webdunia
શનિવાર, 5 મે 2018 (11:44 IST)
દેશભરમાં ટેર-ટેર સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર, અપ્રમાણસર મિલકત મુદ્દે રોજે રોજ ચર્ચા થતી હોય છે. લગભગ તમામ સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની બુમો સંભળાતી હોય છે. જેને લઈ એન્ટી કરપ્સન ઓફ બ્યૂરોએ ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા નવો કિમીયો અપનાવ્યો છે. હવે ભ્રષ્ટાચારને રોકવા એસબી દ્વારા ઈનામની જાહેરાત કરવામાં આવી છે. જે કોઈ પણ સરકારી કર્મચારીની અપ્રમાણસર મિલકત અંગે માહિતી આપશે તેમને રૂ. 25 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સરકાર હવે ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનાવવા માટે કડક પગલા ભરી રહી છે, હવે લાંચીયા અધિકારીઓની ખેર નથી. હજારો આંખો અને કાન સરકારી કર્મચારીઓ પર નજર રાખી રહ્યા છે. સરકારના ઈન્કમટેક્ષ, અને એસીબી વિભાગ દ્વારા ભ્રષ્ટાચારને ખતમ કરવા નવો કિમીયો અપનાવવામાં આવ્યો છે. એસીબીએ જાહેરાત કરી છે કે, જે પણ સરકારી કર્મચારીની અપ્રમાણસર મિલકત મુદ્દે માહિતી આપશે, અને જો તે સાચી પડશે તો બાતમીદારને રૂ. 25 લાખનું ઈનામ આપવામાં આવશે. એસીબીએ આ જાહેરાત કરતા સમયે એ પણ કહ્યું કે, બાતમીદારની ઓળક ગુપ્ત પણ રાખવામાં આવશે. આ પહેલા પણ સરકારના ઈન્કમટેક્ષ અને એસીબી વિભાગ દ્વારા ભ્રષ્ટાચારને ખતમ કરવા 10 ટકા ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. ફેબ્રુઆરી-2016માં જાહેરાત કરવામાં આવી હતી કે, જે કોઈ પણ ઈન્કમટેક્ષ ચોરી કે સરકારી બાબુઓની અપ્રમાણસર મિલકત મુદ્દે માહિતી આપશે તેને લાંચિયા અધિકારી પાસેથી જે કંઇ બે હિસાબી મિલકત મળે તેના દસ ટકા ઇનામ પેટે આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીમાં અસામાજિક માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

Googleનો મોટો નિર્ણય, આજથી બંધ થઈ જશે કરોડો યુઝર્સના Gmail એકાઉન્ટ

ગુજરાતના જાણીતા 10 તીર્થ સ્થળ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

આગળનો લેખ
Show comments