Webdunia - Bharat's app for daily news and videos

Install App

વધતા મુસાફરોથી સિંહો કંટાળ્યા ગીરમાં પર્યટકોને સિંહ જોવા ના મળ્યાં

Webdunia
સોમવાર, 30 ઑક્ટોબર 2017 (14:25 IST)
વેકેશનના સમયગાળામાં લગભગ 31,584 લોકોએ સાસણગીરની મુલાકાત લીધી, પરંતુ તેમાંથી 60 ટકા પર્યટકોએ સિંહ જોયા વિના જ પાછુ ફરવુ પડ્યું હતુ.   નિષ્ણાંતોનું કહેવું છે કે સિંહોને આરામ કરવા માટે થોડી શાંતિ અને પ્રાઈવસીની જરુર છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે, 20થી 27 ઓક્ટોબર સુધી સાસણમાં 31,584, દેવલિયામાં 43,829 અને અમ્બ્રાડીમાં 9693 પર્યટકોએ મુલાકાત લીધી હતી. 

નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફના મેમ્બર એચ.એસ.સિંહ જણાવે છે કે, સિંહ છુપાઈ જતા હોવાના અનેક કારણો છે. વેકેશન દરમિયાન જંગલમાં વાહનોની સંખ્યા વધી જવાને કારણે તે ડિસ્ટર્બ પણ થાય છે. માટે તે ટૂરિઝમ ઝોનથી દૂર જતા રહે છે. આ સિવાય અત્યારે જંગલમાં હરિયાળી વધારે હોવાને કારણે સિંહ સહેલાથી કોઈ ઝાડીમાં છુપાઈ શકે છે. આનાથી પર્યટકોને તેમને શોધવામાં મુશ્કેલી થઈ શકે છે.એચ.એસ.સિંહ આગળ જણાવે છે કે, જંગલ ખાતા દ્વારા સફારીની જીપને મોનિટર કરવામાં આવે છે અને સુનિશ્ચિત કરવામાં આવે છે કે વાહનો તેમને ફાળવવામાં આવેલા રસ્તાઓ પર જ ચાલે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments