Webdunia - Bharat's app for daily news and videos

Install App

નારણપુરાના વરદાન ટાવરમાં આગ લાગવાનો બનાવ, એક જ પરિવારના 4 લોકોના મોત

Webdunia
મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (11:38 IST)
નારણપુરાના વરદાન ટાવરમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં એક જ પરિવારના 4 લોકોનાં મોત થયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ફાયટરની ટીમ વરદાન ઘટના સ્થળે દોડી ગઈ હતી. મકાનની અંદર ફસાયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે વીએસ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

આજે વહેલી સવારે લાગેલી શોર્ટ સર્કિટ કે અન્ય કારણસર પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગી હતી. ધૂમાડાના કારણે પાછળના ભાગે રહેતા સુનિલ ચૌધરીને ગુંગળામણ થવાથી બહાર નીકળી શક્યા ન હતાં અને ગુંગળાઈને બેહોશ થઈ ગયા હતા. આજુબાજુના લોકોએ ધુમાડા દેખાતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યૂ કર્યું હતું. બહાર કાઢીને ચારેયને અલગઅલગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં ચારેયના સમયાંતરે મોત થયા હતા. પ્રોવિઝન સ્ટોરમાં લાગેલી આગે હસતા રમતા પરિવારને વિંખી નાંખ્યો હતો. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments