Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વ DGP અને ભાજપના નેતા એ.આઈ. સૈયદનુ કોરોના વાઈરસને કારણે નિધન

Webdunia
બુધવાર, 24 જૂન 2020 (12:51 IST)
ગુજરાતના પૂર્વ DGP એ.આઈ સૈયદનું કોરોના વાઈરસના લીધે મોત નીપજ્યું છે. તેઓ વક્ફ બોર્ડના ચેરમેન પદે પણ સેવા આપી ચુક્યાં છે. તેઓ ભાજપમાં નેતા પણ રહ્યાં છે. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી કોરોના વાઈરસની સામે જંગ લડી રહ્યાં હતા. જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
 
અમદાવાદ શહેરમાં 22 જૂનની સાંજથી 23 જૂનની સાંજ સુધીમાં કોરોનાના 230 કેસ નોંધાયા છે અને શહેરમાં 13 તેમજ જિલ્લાના 2 મળીને કુલ 15 દર્દીના મોત થયા છે. તેમજ 381 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 19,381 કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે મૃત્યુઆંક 1,363 થયો છે અને 14,394 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.
 
21 જૂને 300થી ઓછા 273 કેસ નોંધાયા બાદ આજે(23 જૂન) ફરીવાર 300થી ઓછા 230 કેસ નોંધાયા છે. જ્યારે 6 દિવસમાં ત્રીજી વખત 20 અથવા 20થી ઓછા મોત નોંધાયા છે, જેમાં 20 જૂને 16, 21 જૂને 20 અને 23 જૂને 15 મોત નોંધાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

Watermelon Seeds - ભૂલથી ખાઈ ગયા તરબૂચના બીજ તો જાણો પેટની અંદર શું થાય છે, તેનાથી શરીરને ફાયદો થશે કે નુકસાન?

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

આગળનો લેખ
Show comments