Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભરૂચમાં નર્મદા નદીના પુરના પાણી ઓસર્યા, પણ મગર ફરતાં થઈ જતાં લોકોમાં ફફડાટ

Webdunia
ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2023 (16:37 IST)
trundo
ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે, ગઈકાલથી વરસાદ પડવાનું બંધ થતાં ભરૂચ અને અંકલેશ્વરના વિસ્તારોમાંથી પુરના પાણી ઓસરવાનું શરૂ થયું હતું. નર્મદા નદી છલોછલ છલકાઈ જતાં આસપાસના વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યાં હતાં. જેથી પુરની સ્થિતિ સર્જાઈ હતી. નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરના પાણી ઓસર્યા બાદ નદીમાંથી મગરો નદી કિનારાના રહેણાંક વિસ્તારમાં આવવાની ઘટનાનો સિલસિલો પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામમાં એક મહાકાય મગર આવી ચડતા દોડધામ મચી ગઈ હતી.

ગતરોજ પુરના પાણી ઓસર્યા બાદ સાંજના સમયે એક 7 થી 8 ફૂટનો મગર લટાર મારતો નજરે ચડતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને દોડધામ મચી ગઈ હતી. આ અંગે જીવ દયા પ્રેમી સંસ્થાને જાણ કરતા જીવ દયા પ્રેમી સંસ્થા અને વન વિભાગની ટીમ દોડી આવી હતી અને મજા મેહનતે રેસ્કયું કરી મગરમે પાંજરે પૂર્યો હતો. મગર પાંજરે પુરાયો હોવાની વાત વાયુ વેગે ગામમાં ફેલાતા ગ્રામજનો ના ટોળા મગર ને જોવા એકત્રિત થયા હતા.

સંબંધિત સમાચાર

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments