Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનથી છૂટેલા ૧૦૦ માછીમાર વતન પહોંચ્યા: સ્વજનોને મળતાં લાગણીઓ છલકાઈ

Webdunia
શુક્રવાર, 26 એપ્રિલ 2019 (12:20 IST)
fisherman
પાકિસ્તાનની કેદમાંથી છૂટેલા ૧૦૦ માછીમારો વતન પહોંચ્યા હતા. તેઓ સ્વજનોને મળ્યા ત્યારે જાણે આંખોમાં આંસુનો દરિયો છલકાયો હતો. પાકિસ્તાનની જેલમાં ભારતના માછીમારોની હાલત ખૂબ જ દયનીય થઈ જાય છે. આ અંગે વાત કરતાં મુક્ત થયેલા માછીમાર વજુ બાંભણીયાએ જણાવ્યું હતું કે, આજે અમારી સાથે કોડીનારના કોટડાના ધનસુખ કરશન ચાવડા નામના માછીમાર આવ્યા છે. જેને ચાર માસ પૂર્વે પાકિસ્તાન જેલમાં પક્ષઘાતનો હુમલો આવ્યો હતો. જે અતિદયનિય સ્થિતિમાં માદરે વતન પહોંચ્યા છે. જેની તાત્કાલીક જરૂરી યોગ્ય સારવાર મળે તેવી આશા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવ જેવી સ્થિતિના સમયએ ભારતીય માછીમારોને અલગ બેરેકમાં રખાયા હતા. દરરોજ સવારે એક કલાક જ બેરેકની બહાર નિકળવા દેતા હતા.  હજુ આગામી દિવસોમાં વધુ 50 જેટલા માછીમારો પાક જેલમાંથી મુકત થઇ વતન આવનાર હોવાનું જાણવા મળ્યું છે. રાજય ફિશરિઝ વિભાગના અધિકારીઓએ મુકત થયેલા માછીમારોનો કબજો લઇ આજે માદરે વતન લઇ આવેલ હતા. આ પૂર્વે માછીમારોનું વેરાવળ નજીકના કીડીવાવ ખાતે એસઓજી અને આઇબીએ ઇન્‍ટ્રોગેશન સાથે પુછપરછ કરી હતી. ત્યારબાદ માછીમારોને બે બસો મારફત વેરાવળની ફિશરિઝ કચેરીએ લઇ આવવામાં આવતા જીએફસીસીએના ચેરમેન વેલજીભાઇ મસાણી, ડાયરેકટર તુલસીભાઇ ગોહેલએ મુકત માછીમારોને હાર પહેરાવી આવકાર્યા હતા.
 
 
 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments