Webdunia - Bharat's app for daily news and videos

Install App

દ્વારકામાં એસીમાં વિસ્ફોટ બાદ લાગી આગ, પરિવારના ચાર સભ્યોનાં મોત

Webdunia
સોમવાર, 1 એપ્રિલ 2024 (11:20 IST)
ગુજરાતના દ્વારકા જિલ્લામાં એક ઘરમાં એસીમાં વિસ્ફોટ થવાને કારણે આગ લાગતાં એક જ પરિવારના ચાર લોકોનાં મોત થયાં હતાં.
 
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ આગ એસીમાં વિસ્ફોટ થવાને કારણે લાગી હતી. આગથી ફેલાયેલા ધુમાડામાં શ્વાસ રુંધાવાને કારણે ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.
 
બનાવની ઘટના બાદ ફાયર-બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
 
ફાયર-બ્રિગેડના જવાનોએ જોયું કે ઘરના પહેલા માળે એક દંપતી અને તેમની બાળકી સહિત તેમનાં માતા બેભાન અવસ્થામાં પડેલાં હતાં. આ બનાવ બાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.
 
મૃતકના દાદી ગ્રાઉન્ડ ફ્લૉર પર હોવાને કારણે સુરક્ષિત બચી ગયા હતા.
 
આગનું સાચું કારણ જાણવા માટે ફૉરેન્સિક નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. ઘટનાની તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

વધુ જુઓ..

નવીનતમ

Chicken Thukpa- સૂપ નહીં, ચિકન થુકપાની આ રેસીપી પેટ ભરશે અને શરદીથી પણ રાહત આપશે

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

આગળનો લેખ
Show comments