Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

Webdunia
બુધવાર, 24 જુલાઈ 2024 (10:46 IST)
Dwarka Rain news- ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં ભારે વરસાદને કારણે ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. આ ઘટના મંગળવારે સાંજે ગગવાણી ફળી વિસ્તારમાં બની હતી.
 
મધરાતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને છ કલાક બાદ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન પાંચ લોકોને બચાવી લેવાયા હતા.
 
બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ એનડીઆરએફની ટીમ, પોલીસ અને ફાયર વિભાગે ત્યાં જમા થયેલા કાટમાળને હટાવ્યો હતો. જો કે આ વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ છે. પીડિતોની ઓળખ 65 વર્ષીય કેશરબેન કંઝારિયા અને તેમની બે પૌત્રીઓ, 18 વર્ષીય પાયલબેન કણઝારિયા અને 15 વર્ષીય પ્રીતિબેન કણઝારિયા તરીકે થઈ છે. સ્થાનિક લોકોની મદદથી કાટમાળ નીચે દટાયેલા પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
 
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ચોમાસાની નદીઓ તેમના ખતરાના નિશાનથી ઉપર વધી ગઈ છે. બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડા તાલુકામાં છ મિમી વરસાદ નોંધાયો હતો. નવસારી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments