Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાની બીજી લહેરમાં ખાનગી ટ્રાવેલ ઉદ્યોગને મોટો ફટકો, ટ્રાવેલ સંચાલકો બસો વેચવા મજબૂર

Webdunia
શુક્રવાર, 19 માર્ચ 2021 (14:30 IST)
કોરોનાકાળમાં રાજ્યના ખાનગી ટ્રાવેલ ઉદ્યોગની કમર તોડી નાંખી છે. ટૂર-ટ્રાવેલ સંચાલકોના કહેવા પ્રમાણે, કોરોનાને કારણે તેમના ધંધા-રોજગારી પડી ભાંગ્યા છે. જેથી રાજ્યમાં 13000 ખાનગી બસોમાંથી 5500 બસો વેચવા કાઢવામાં આવી છે. જેમાંથી 30 ટકા બસો વેચાઇ ગઇ છે. બાકીની 7500 બસોમાંથી પણ 60 ટકા બસો બંધ હાલતમાં છે.

કોરોનાને કારણે રાજ્યમાં 2300 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. જેમાં સૌથી વધારે અમદાવાદ, બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે રાજકોટ શહેરનો સમાવેશ થાય છે. એકલા અમદાવાદના ટ્રાવેલ સંચાલકોને કુલ 1500 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. જેથી શહેરમાં કુલ 2,750 બસોમાંથી 250 જેટલી બસો વેચવાની ફરજ પડી છે. એટલું જ નહીં કોરોનાની બીજી લહેરમાં 90 ટકા પેસેન્જરોએ પ્રવાસ પડતો મૂક્યો છે.અંદાજ છેકે એક બસ ચાલે તો 15થી 20 વ્યક્તિનું ભરપોષણ થાય છે. જેથી અમદાવાદમાં 250 બસો વેચાતાં 5000 વ્યક્તિએ નોકરી ગુમાવી પડી છે. એટલું જ નહીં 2500માંથી 50 ટકા બસો વેચવા કાઢતાં હાલ 62,500 વ્યક્તિના ભરપોષણને અસર પહોંચી છે. સાથે જ સરકાર દ્વારા છ મહિનાના ટેક્સના રાહતમાં પણ કોઇ ફાયદો થયો નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments