Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડિઝિટલ ઈન્ડિયામાં ગુજરાત ભાજપ નિરસ, વિધાનસભાની વેબસાઇટ પર હારેલા ધારાસભ્યોનાં નામ નથી હટાવાયાં

Webdunia
મંગળવાર, 24 એપ્રિલ 2018 (11:35 IST)
એક તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી જીતવા સાંસદોને મોબાઇલ એપ,સોશિયલ મિડીયા થકી લોકો સાથે વધુમા વધુ સંપર્કમાં રહેવા સૂચના આપી છે.ડિજીટલ ઇન્ડિયાના જોરે કેન્દ્ર-રાજ્ય સરકારની કામગીરી લોકો સુધી પહોંચડવા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભાની વેબસાઇટમાં આજેય હારેલાં ધારાસભ્યોના નામ,ફોટા,પરિચય સાથેની વિગતો મોજુદ રહી છે. ભાજપ સરકાર એક બાજુ ડિજીટલાઇઝેશનના જોરે વિકાસશીલ ગુજરાત,ગતીશીલ ગુજરાતના દાવા કરી રહી છે.

સામાન્ય ખેડૂતથી માંડીને બેરોજગાર યુવાને ઓનલાઇન અરજી કરવા ફરજ પાડવામાં આવી રહી છે. ગરીબોને રેશન મેળવવામાં ય ફિંગરપ્રિન્ટ આપવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. કેશલેશ નાણાંકીય વ્યવહાર કરવા સરકાર જ લોકોને કહી રહી છે. ટેકનોક્રેટ ભાજપના રાજમાં ગુજરાત વિધાનસભાની વેબસાઇટના જ ઠેકાણાં નથી. તેરમી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોના ફોટો,પરિચય પૂર્વ ધારાસભ્યોના પેજ પર રાખવાને બદલે મુખ્ય પેજ પર રાખવામાં આવ્યા છે. આજેય હારેલા ધારાસભ્યોના નામ,ફોટા સહિતની વિગતો વેબસાઇટ પર જોવા મળી રહી છે. જોકે,સ્પિકર સહિત કેબિનેટ મંત્રીઓના નામ બદલાયાં છે. આમ,નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતની ભાજપ સરકારને જ રસ નથી. જોકે, ભાજપ સરકારને કરોડોના ખર્ચે રિનોવેશન કરવામાં જરુર રસ છે.

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments