Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાલનપુર-આબુરોડ પર યમદૂત બનીને આવીલી કાર ડિવાઇડર કૂદીને બાઇક સાથે ટકરાતા 3ના મોત

Webdunia
બુધવાર, 2 ડિસેમ્બર 2020 (10:39 IST)
મંગળવારે મોડી સાંજે પાલનપુર આબુરોડ હાઇવે પર આવેલા સાંબાબા મંદિર નજીક  ફોરર્ચ્યુનર કાર ડિવાઈડર કુદીને કાર સાથે ટકરાઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા. આ ત્રણેય યુવકો અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના હતા તેઓ પાલનપુરની એક ગેરેજમાં કામ કરતા હોવાનું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બે વ્યક્તિને ઇજા પહોંચતાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 
 
મળતી માહિતી અનુસાર આબુરોડ તરફથી આવતી ફોરર્ચ્યુનર કારના ચાલકે કોઈ સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર ડિવાઈડર કુદી હાઈવેની સામેની તરફ ફંગોળાઇ ગઇ હતી અને એક બાઇક તેમજ કારને ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામના ત્રણ યુવકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિ ઘાયલ થયા હતા. 
 
અકસ્માત સર્જાતા લોકોના ટોળું ભેગું થઇ ગયું હતું. અને 108 મારફતે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 
સજ્જનસિંહ મુકેશસિંહ ચૌહાણ(ઉ.વ. 21) (કરજા રામપુરા),  હિતેન્દ્રસિંહ જામતસિંહ ચૌહાણ (ઉ.વ.21) (કરજા રામપુરા)  વિપિસિંહ ગણપતસિંહ ચૌહાણનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments