Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાહોદ જિલ્લામાં ફરતો કોરોના વાયરસનો ‘યમદૂત’

Webdunia
શનિવાર, 17 ઑક્ટોબર 2020 (12:12 IST)
શીર્ષક વાંચીને ચોકી જવાની જરૂર નથી ! કોરોના વાયરસ સામે લોકોમાં હજુ વધારે જાગૃતિ આવે એ માટે થઇને દાહોદ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને તેના ભાગ રૂપે કોરોનાના પ્રતીકાત્મક યમદૂતને ફેરવવામાં આવી રહ્યો છે ! તેની સાથે રહેલા રંગલારંગલી નાટ્યાત્મક રીતે નાગરિકોને કોરોના વાયરસ સામે સાવચેતી રાખવા સમજાવે છે. 
 
જિલ્લા મેલેરિયા અધિકારી ડો. અતીત ડામોરે માહિતી આપતા જણાવ્યું કે, એક ટ્રોલીમાં કોરોના વાયરસના યમદૂતનું પાત્ર ભજવવામાં આવી રહ્યું છે. લોકોનું સહજ રીતે ધ્યાન ખેંચી શકાય એ રીતે આ યમદૂતનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાં રંગલા રંગલીની નાટિકા પણ કરવામાં આવી રહી છે. 
કોરોના વાયરસના યમદૂત સાથે રંગલા રંગલી દ્વારા નાટિકા રજૂ કરવામાં આવે છે. જેમાં હાસ્યરસ સાથે ભયરસને પણ ઉમેરવામાં આવ્યો છે. યમદૂત લોકોને કોરોના વાયરસ સામે સેનિટાઇઝેશન, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવા માટે નાટ્યાત્મક રીતે સમજાવી રહ્યો છે. 
 
જિલ્લા આરોગ્ય તંત્રના આ પ્રયોગ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. દાહોદમાં નગરપાલિકા ચોક ખાતે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ નાટકમંડળી ફરી હતી અને લોકોમાં જાગૃતિ પ્રસરાવી હતી. હજુ પણ જિલ્લામાં આ રથ ફેરવવાનું આયોજન છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments