Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટણ અને સુરતમાં એક-એક વ્યક્તિનાં મોત, હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 14 થયો

Webdunia
બુધવાર, 8 એપ્રિલ 2020 (10:35 IST)
ગુજરાતમાં કોરોનાનો અજગર ભરડાએ વધુ બે વ્યક્તિનો જીવ લઈ લીધો છે. પાટણમાં કોરોનાને કારણે 45 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો સુરતમાં પણ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આમ રાજ્યમાં કોરોનાને કારણે મોતનો કુલ આંક 14 થઈ ગયો છે. તો ગઇકાલથી અત્યારસુધીમાં 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 165 થઈ ગયા છે.પાટણના સિદ્ધપુરની તમન્ના સોસાયટીમાં રહેતાં 47 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ આજે તેઓએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ સાથે જ સુરતના રાંદેરમાં 52 વર્ષીય અહેસાન રશીદ ખાનનું કોરોનાને કારણે મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક 14એ પહોંચ્યો છે. પાટણમાં કોરોના પોઝિટિવનાં કુલ પાંચ કેસ નોંધાયા છે. અને પહેલું મોત પણ થયું છે. ગુજરાતમાં કોરોનાને કારણે કુલ 14 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાંથી સૌથી વધુ મોત અમદાવાદમાં થયા છે. અમદાવાદમાં કોરોનાના 77 કેસ સાથે 5 વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. જ્યારે સુરતમાં 3 મોત, ભાવનગર અને વડોદરામાં 2-2 વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. અને પાટણમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments