Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના સંક્રમિત દર્દીના મૃતદેહનું સૌ પ્રથમ વખત પોસ્ટમોર્ટમ ગુજરાતમાં થશે

Webdunia
ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (16:14 IST)
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. જ્યારે અન્ય 42 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા છે. એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. હાલમાં હોસ્પિટલની બહાર પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયો છે. જ્યારે સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરી સીલ મારી દેવાયું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે. ગુજરાતમાં કોરોનાના દર્દીના મૃતદેહનું સૌ પ્રથમ વખત પીએમ અમદાવાદ સિવિલમાં થશે. હાલ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાય છે પણ તેમને એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવ્યા છે. હવે પીએમના સ્ટાફને પીએમ દરમિયાન કઈ-કઈ ગાઈડલાઇનનું પાલન કરવાનું પડશે તેની જાણ થયા બાદ પીએમની પ્રક્રિયા હાથ ધરાશે.અમદાવાદ સિવિલના ઇન્ચાર્જ એમ.એમ પ્રભાકરે જણાવ્યું હતું કે, કોરોનાના મૃતદેહનું પીએમ કરવાં માટે જેવી રીતે કોરોનાના દર્દી પાસે જતા પહેલા રાખવામાં આવતી તમામ તકેદારી પીએમ કરતી વખતે પણ રાખવામાં આવશે. PPE કીટ પહેરીને પીએમ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

આગળનો લેખ
Show comments