Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેકાબુ કોરોના વચ્ચે રાજકિય મેળાવડા અને લોકસંપર્ક પર રોક લગાવવા હાઈકોર્ટમાં અરજી કરાઈ

Webdunia
મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (13:23 IST)
કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી રાજકીય મેળાવડા,રેલીઓ અને લોક સંપર્ક કરવા પર રોક લગાવવા હાઇકોર્ટના રજિસ્ટ્રારને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અરજી કરી છે.સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પહેલા બેફામ રાજકીય પ્રવૃતિઓને વેગ આપવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટ,દક્ષિણ ગુજરાતના સુરત સહિત રેલીઓ સંબોધીને લોકોને સંક્રમિત કર્યા પછી રાજકીય પક્ષોના નેતાઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આવા નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી, માસ્ક પહેરતા નથી જેના કારણે અનેક લોકો સંક્રમિત બન્યા છે.  કોરોના મામલે હાઇકોર્ટે લીધેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં ગ્યાસુદિન શેખે રજિસ્ટ્રારને ચીફ જસ્ટિસના ધ્યાનમાં આ પરિસ્થિતિ મુકવા પત્ર લખ્યો છે. આગામી થોડા દિવસમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાવાની છે તે પહેલા રાજકીય પક્ષો અને નેતાઓ અનેક જગ્યાએ રેલીઓ, રાજકીય સભાઓ અને બેઠકો યોજી રહ્યા છે. જેના કારણે ભેગી થયેલી ભીડમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી અને સંક્રમણ ખુબ વધી રહ્યુ છે. નેતાઓ પણ તંત્રને ધાકધમકીથી બાજુએ હડસેલીને લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ બેજવાબદાર બનીને સભા ગજવી રહ્યા છે. અને લોકો કોરોનાથી સંક્રમિત થાય છે. સભાને કારણે કોરોનાનો ચેપ નાના ગામડા સુધી પહોંચ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

કયું ફળ ફ્રીજમાં ન મુકવું જોઈએ ? સ્વાદ બગડશે, સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડશે

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

વધુ જુઓ..

નવીનતમ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

આગળનો લેખ
Show comments