Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેડિકલના 5 હજાર વિદ્યાર્થીઓએ ઘરે ઘરે જઈ કોરોનાના ટેસ્ટ કરવા પડશે

Webdunia
બુધવાર, 26 ઑગસ્ટ 2020 (12:21 IST)
હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિ.એ મેડિકલ અને પેરા મેડિકલના પાંચ હજાર વિદ્યાર્થીઓને કોરોનાની ફિલ્ડ ડ્યૂટી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ વિદ્યાર્થીઓ ઘરે ઘરે જઈને ટેસ્ટ કરશે. તેમને પાંચથી છ દિવસની તાલીમ આપી દૈનિક રૂ. 500 સ્ટાઇપેન્ડ આપવાનો પણ નિર્ણય કરાયો છે. શહેરમાં કોરોનાના કેસોની શરૂઆતમાં મેડિકલના 300 વિદ્યાર્થી જ કોવિડ ડ્યૂટીમાં હતા. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, હવે મેડિકલ, ડેન્ટલ કોલેજ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા ઇન્ટર્નની સેવાઓ કોરોના સામેની લડાઈમાં લેવાશે. તેમાં એમબીબીએસના બીજા, ત્રીજા, ચોથા વર્ષના વિદ્યાર્થીઓ તથા ઇન્ટર્ન, ડેન્ટલના પણ બીજા ત્રીજા, ચોથા વર્ષના વિદ્યાર્થીઓ, નર્સિંગના પણ બીજા, ત્રીજા, ચોથા વર્ષના વિદ્યાર્થીઓને આ કામગીરીમાં જોડાશે. આ વિદ્યાર્થીઓની કોલેજો શરૂ થાય કે નિયમિત વર્ગો શરૂ થાય ત્યાં સુધી સેવાઓ ચાલુ રહેશે. ડાયાબિટિસ, હ્રદયની બીમારીથી ગ્રસ્ત વિદ્યાર્થીને આ ડ્યૂટીમાંથી મુક્તિ અપાશે. વિદ્યાર્થીઓએ હવે આ ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે.ફિલ્ડ સર્વેલન્સ કરવું પડશે,સુપરવિઝન કરવાનું રહેશે, સંક્રમણ અટકાવવા તથા નિયંત્રણમાં લેવા માટે પગલાં, ટેસ્ટિંગ કરવાનું રહેશે, મનોચિકિત્સક અને સામાજિક સંભાળ પ્રકારની કામગીરી, નર્સિંગ આસિ.ની કામગીરી, લક્ષણો ન હોય તેવા અને ક્વોરન્ટાઇન કરાયેલા દર્દીઓની તપાસની કામગીરી, લક્ષણો ધરાવતા હોય તેવા દર્દીઓને શોધવાની કામગીરી, હોમ આઇસોલેશનમાં હોય તેવા દર્દીઓની સંભાળ લેવી, શહેરની 26 કોલેજના વિદ્યાર્થીઓ જોડાશે. શહેરમાં મેડિકલની 6 કોલેજો આવેલી છે તેમ જ ડેન્ટલની 3 કોલેજ છે. જ્યારે નર્સિંગની 17 કોલેજ છે. આ કોલેજોમાં મેડિકલમાં 1200 વિદ્યાર્થી, ડેન્ટલમાં 300 વિદ્યાર્થી જ્યારે નર્સિંગમાં 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમાં પ્રથમ વર્ષના 500થી વધુ વિદ્યાર્થીઓને બાદ કરતાં બાકીનાં વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ કામમાં જોતરવામાં આવી શકે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

કયું ફળ ફ્રીજમાં ન મુકવું જોઈએ ? સ્વાદ બગડશે, સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડશે

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

વધુ જુઓ..

નવીનતમ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

આગળનો લેખ
Show comments