rashifal-2026

કોરોનાની સારવારમાં અક્સીર ગણાતી આ દવાના જથ્થાને લઈને શું થયો મોટો ખુલાસો?

Webdunia
મંગળવાર, 9 જૂન 2020 (14:04 IST)
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ શહેરમાં મૃત્યુનો આંક પણ વધારે છે. ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે અક્સીર ગણાતી દવા ટોસીલીઝુબેમના મુદ્દે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ એમ.એમ પ્રભાકરે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ટોસીલીઝુબેમનો જેટલો જથ્થો છે તેનો ઉપોયગ કરી રહ્યા છે, વધુ જથ્થો અમારી પાસે નથી. જેટલો જોઈએ એટલો જથ્થો નથી મળતો. તેમણે ઉમેર્યું હતું કે, અમે માંગણી તો 50થી વધારેની કરી છે, પણ મળતા નથી. તેમણે આ સમયે ધમણનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, વાતચીતમાં કેટલા અને ક્યાં ક્યાં ધમણ છે, તે અંગે આંકડાઓનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. આજની તારીખે સિવિલ હોસ્પિટલની આઈ.સી.યુ પણ ફૂલ છે. ઓક્સિજન બેડ પણ ફૂલ છે. જરૂરિયાત પડી ત્યારે અલગ અલગ યુનિટના બેડ ઉપયોગમાં લીધો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

આગળનો લેખ
Show comments