Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રોજના સરેરાશ 25 મોત, મૃત્યુદર 6.71 ટકા : 13 દિવસમાં જ 326 મોત

કોરોના વાયરસ
Webdunia
ગુરુવાર, 14 મે 2020 (15:42 IST)
અમદાવાદમાં 13મીએ કોરોનાથી વધુ 25 મોત નોંધાયા છે અને આ સાથે માત્ર અમદાવાદમાં મૃત્યુનો આંકડો 446 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં રોજના સરેરાશ 25 મોત થઈ રહ્યા છે. શહેરમાં હાલ મૃત્યુદર 6.71 ટકા પર પહોંચ્યો છે. 1લી મેથી લઈને આજ સુધીમાં 13 દિવસમાં જ 326 મોત થઈ ચુક્યા છે. આજે ગુજરાતમાં વધુ 29 મોત થયા છે અને કોરોનાથી મૃત્યુ થવાની શરૂઆત બાદ ગુજરાતમાં ચોથી વાર એક સાથે એક જ દિવસમાં 29 મોત નોંધાયા છે. ગુજરાતમાં મૃત્યુદર વધીને 6.10 ટકા થયો છે. ગુજરાતમાં કોરોનાથી પ્રથમ મોત 22 માર્ચે થયા બાદ 40 દિવસમાં 214 મોત ગુજરાતમાં થયા હતા જ્યારે 1લીમેથી 13 મે સુધીના છેલ્લા 13 દિવસમાં જ રાજ્યમાં 352 મોતા થયા છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ મોત અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં મોતની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. લોકડાઉન છતાં પણ અમદાવાદમાં રોજના 250થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે છે તેમજ મૃત્યુની સંખ્યા પણ ઓછી થતી નથી. અમદાવાદમાં સરેરાશ રોજના 25 મોત થઈ રહ્યા છે. 2જી એપ્રિલથી અમદાવાદમાં રોજના 20 કે તેથી વધુ મોત થઈ રહ્યા છે. જ્યારે છેલ્લા 13 દિવસમાં જ અમદાવાદમાં 326 મોત થયા છે. મહત્વનું છે કે એક બાજુ જ્યાં સમગ્ર રાજ્યમાં 6.10 ટકા મૃત્યુ દર છે ત્યારે અમદાવાદમાં 6.71 ટકા મૃત્યુદર દર છે.  દેશમાં પાંચ હજારથી વધુ કેસ ધરાવતા મુખ્ય મોટા શહેરોમાં અમદાવાદમાં સૌથી વધુ 6.71 ટકા મૃત્યુદર છે.દેશમાં મોટા શહેરોમાં સૌથી વધુ કેસ 14947 કેસ મુંબઈમા છે ત્યારે તેની સામે મોત 556 છે. અમદાવાદમાં 6645 કેસ સામે કુલ મૃત્યુનો આંકડો 446 છે જે ખૂબ જ ગંભીર ગણી શકાય.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

વધુ જુઓ..

નવીનતમ

બ્રાહ્મણ પર હું ...' વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનુરાગ કશ્યપ મુશ્કેલીમાં, હવે માંગી માફી, કહ્યું- 'દીકરી અને પરિવાર...'

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

Kesari 2 X Review: 'બંધ મુઠ્ઠી એક કડા', ગુસ્સાથી લાલ કરી દેશે અક્ષય કુમારની ફિલ્મ

World Heritage Day- મોઢેરાનું સૂર્યમંદિર, વડનગર, ઉનાકોટી રોક-કટ મૂર્તિઓને મળ્યુ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

આગળનો લેખ
Show comments