Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાઈરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે તમામ પર્યટન સ્થળો બંધ

Webdunia
બુધવાર, 18 માર્ચ 2020 (14:05 IST)
કોરોના વાઈરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે ગુજરાત સરકાર સક્રિય બની છે. કોરોના વાઈરસને લઈ હાલ ગુજરાતના પર્યટન સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતના પર્યટન સ્થળોમાં અમદાવાદમાં કાંકરિયા, જૂનાગઢમાં સક્કરબાગ, ઉપરકોટ, મ્યુઝિયમ, ટાઉનહોલ બંધ, રાજકોટનું પ્રદ્યુમન પાર્ક ઝૂ, દેવળીયા પાર્ક, ધારી અને સાસણ પણ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. કોરોના વાઈરસને લઈને ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ ત્રણ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે અંબાજી મંદિરના ૭, ૮ અને ૯ નંબરના ગેટ યાત્રિકો માટે બંધ કરી દેતા માઈભક્તો માટે શક્તિદ્વારથી પ્રવેશ અપાયો હતો. જીઆઈએસના ગાર્ડ સહિત મોઢા પર માસ્ક પહેરીને ફરજ બજાવતા જોવા મળ્યા હતા. માઈ ભક્તો અંબાજી મંદિર ખાતે માત્ર એક ગેટથી જ પ્રવેશ કરી શકશે અને તે પણ અહીં હાથ ધોઈને પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. વિશ્ર્વના સૌથી ઊંચા એવા સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ચાલુ રહેશે જોકે તેનું ઓનલાઇન બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. અને નર્મદામાં જંગલ સફારી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આગામી ૨૯ માર્ચ સુધી કોરોના વાઈરસને લઈ ગુજરાતના પર્યટન સ્થળો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરમાં પણ એડવાન્સ બુકિંગ કેન્સલ થયા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટનું મુખ્ય બુકિંગ હાઉસમાં ૪૦૦ જેટલા આવાસોનું બુકિંગ થાય છે ત્યાં ૧૦૦થી વધુ બુકિંગ કેન્સલ થયા અને તે પણ ખાલીખમ જોવા મળ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ યાત્રિકોની તકેદારીના ભાગરૂપે પોતાના સ્ટાફને માસ્ક પહેરવા, હાથ ન મિલાવવા, સહિતની સૂચનાઓ આપી હતી. કોરોના સામે લડવા માટેની રણનીતિ બનાવવા વિજય રૂપાણી અને નીતિન પટેલ ઉચ્ચસ્તરીય બેઠકો બોલાવી હતી.
 
 

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments