Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાઇરસ : ભારતમાં મરણાંક કોરોના મૃતકોનો આંક ચાર લાખને પાર, ગુજરાતમાં 10 હજાર મૃત્યુ

Webdunia
શુક્રવાર, 2 જુલાઈ 2021 (17:20 IST)
ભારતમાં કોરોનાને લીધે થયેલા મૃત્યનો આંકડો 4 લાખને પાર થઈ ગયો છે. અને કૂલ કેસની સંખ્યા 3 કરોડને પાર થઈ ગઈ છે. ભારત અને ગુજરાત સરકારના આંકડાઓ અનુસાર દેશમાં સૌથી વધારે, મહારાષ્ટ્રમાં 1.25 લાખ લોકો મૃત્યુ પામ્યાં જ્યારે ગુજરાતમાં ગુજરાતમાં કુલ 10 હજાર લોકો કોરોનાથી મૃત્યુ પામ્યાં છે.
 
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો કુલ 46 હજાર કેસ નોંધાયા છે. જેમાં કેરળ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં દરરોજ 10 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.
 
કેરળ, અરુણાચલ, ઓડિશા, ત્રિપુરા, છત્તીસગઢ અને મણિપુરમાં કેસોનું પ્રમાણ વધ્યું છે આથી ત્યાં કેન્દ્રની ટીમો મોકલવામાં આવી છે.
 
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કૂલ 84 કેસ નોંધાયા છે અને 3 લોકો મૃત્યુ પામ્યાં છે. આમાંથી બે મૃત્યુ અમદાવાદ શહેર તથા જિલ્લામાં થયાં જ્યારે એક મૃત્યુ સુરત શહેરમાં નોંધાયું છે.
 
સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની લીધે કુલ 853 લોકો મૃત્યુ પામ્યાં છે. કર્ણાટકમાં અત્યાર સુધી કુલ 35 હજાર અને તામિલનાડુમાં કુલ 32 હજાર લોકો મૃત્યુ પામ્યાં છે.
 
ગુજરાતમાં રસીકરણની વાત લઈએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2 લાખથી 84 હજાર લોકોનું રસીકરણ કરાયું છે. અને રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 98.44 ટકા થયો છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments