Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ફરી ત્રણ દિવસ બાદ કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં નવા 401 કેસ નોંધાયા

Webdunia
બુધવાર, 29 માર્ચ 2023 (22:41 IST)
અમદાવાદ જિલ્લામાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બનવા તરફ, નવા કેસ 144
 
241 દર્દીઓ સાજા થયાં જ્યારે 8 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
 
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જ્યારે 241 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે રાજ્યમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું નથી.
 
રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા
અમદાવાદ જિલ્લામાં 144, સુરત જિલ્લામાં 45, રાજકોટ જિલ્લામાં 42, મોરબીમાં 22, વડોદરા જિલ્લામાં 41, ગાંધીનગર જિલ્લામાં 12, જામનગર જિલ્લામાં 6, મહેસાણામાં 16, અમરેલીમાં 14, કચ્છમાં 9, બનાસકાંઠામાં 8, આણંદમાં 7, સાબરકાંઠા અને વલસાડમાં પાંચ પાંચ કેસ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં ચાર ચાર કેસ, ભરૂચ, છોટાઉદેપુર અને પાટણમાં ત્રણ ત્રણ કેસ, નવસારીમાં બે કેસ, દાહોદ, દ્વારકા, મહિસાગર અને પંચમહાલમાં એક એક કેસ નોંધાયો છે. 
 
8 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
રાજ્યમાં છેલ્લા 23  દિવસમાં જ કોરોનાના કારણે 6 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11053 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 2136 એક્ટિવ કેસ છે. 8 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 2128 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા થઈ ગયો છે.

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments