Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસે રાજકોટમાં અગ્નિકાંડનાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી, 17 પીડિત પરિવારો યાત્રામાં ના જોડાયા

Webdunia
સોમવાર, 12 ઑગસ્ટ 2024 (13:08 IST)
rajkot fire
ગુજરાતમાં ભાજપની તિરંગા યાત્રા સામે કોંગ્રેસે ન્યાય યાત્રા શરૂ કરી છે. મોરબીથી શરૂ થયેલી યાત્રા રાજકોટ આવી હતી. રાજકોટમાં જે જગ્યાએ ગેમઝોન દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં કોંગ્રેસે મીણબત્તી પ્રગટાવીને 2 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કોંગ્રેસના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 17 જેટલા પીડિત પરિવારો જોડાયા નહોતા.આજે ન્યાયયાત્રા રાજકોટથી  ચોટીલા જવા રવાના થઈ છે ચોટીલા બાદ સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ અને છેલ્લે ગાંધીનગર પહોંચશે.
 
TRP ગેમ ઝોન અગ્નિકાંડના ઘટનાસ્થળે મૃતકોને શ્રદ્ધાંજલિ 
TRP ગેમ ઝોન અગ્નિકાંડના ઘટનાસ્થળે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આ ઘટનાને 79 દિવસ થયા છે. આટલા દિવસમાં અમે એક જ માગણી કરી રહ્યા છીએ કે, આ કિસ્સામાં ન્યાય મળવો જ જોઈએ. અગાઉની ઘટનાઓમાં નાની માછલીઓને પકડી લેવી અને મોટા મગરમચ્છોને છોડી દેવા જેવા ઘાટથી ગુજરાતમાં લોકોમાં નારાજગી છે. સમજાતું નથી કે રાજ્ય સરકાર કેમ આટલી બધી જડ બની ગઈ છે. પીડિતોની એક પણ માગણી ન સ્વીકારવી, આ તો કયા પ્રકારનું વર્તન છે.
 
12માંથી એક પણ માગણી સ્વીકારવા સરકાર તૈયાર નથી
ધારાસભ્ય મેવાણીએ ભાજપ સરકારને ઘમંડી કહેવાની સાથે પીડિતોને ન્યાય માટે રૂ. 1 કરોડનુ વળતર તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માગ કરી હતી.12 જેટલી માગણીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ મૂકવામાં આવી હતી.12માંથી એક પણ માગણી સ્વીકારવા રાજ્ય સરકાર તૈયાર નથી.પીડિતો રેલી કરે કે રાજકોટ બંધ કરે અમને કઈ ફરક પડતો નથી. ન્યાયયાત્રામાં નથી જોડાયા તેમના પ્રત્યે પણ અમારી સહાનુભૂતિ છે. પરંતુ તમામ પીડિતો માટે વિધાનસભામાં અવાજ ઉઠાવીશું. જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ન્યાયયાત્રા ચાલુ રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments