Webdunia - Bharat's app for daily news and videos

Install App

કમિશન વધારવાની માંગને લઇને સીએનજી પંપ ચાલકોની હડતાલ

Webdunia
સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (11:29 IST)
સીએનજી વિક્રેતાઓ તેમના કમિશનમાં વધારો કરવા સંબંધિત અધિકારીઓને મનાવવા માટે એક દિવસીય સાંકેતિક હડતાળ પર ઉતરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે 6.00 વાગ્યાથી 7 ફેબ્રુઆરીના રોજ સવારે 6.00 વાગ્યા સુધી સીએનજી પંપ માલિકો સીએનજીનું વેચાણ નહીં કરીને એક દિવસની હડતાળ પર છે. જો 16 ફેબ્રુઆરીથી કમિશન વધારવામાં નહીં આવે તો સીએનજીનું વેચાણ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવશે.
 
સુરત ડિવિઝનમાં 160 CNG પંપ છે જ્યારે સુરત શહેરમાં લગભગ 40 CNG પંપ છે. દરેક પંપ પર એક દિવસમાં સરેરાશ 4 હજાર કિલો ગેસનું વેચાણ થાય છે. સુરત શહેરમાં લગભગ 150000 CNG રિક્ષાઓ અને 2 લાખથી વધુ અન્ય CNG વાહનો છે.
 
પ્રાપ્ત માહિતી મુજબ, CNG નું માર્જિન કંપની દ્વારા ખર્ચ ફોર્મૂલાના આધારે નક્કી કરવામાં આવે છે. જેમાં દર 2 વર્ષે CGD કંપની અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા વેપારના ખર્ચને ધ્યાનમાં રાખીને રિટેલ કરારના નવીકરણ સમયે વધારો કરવામાં આવે છે. માર્જિનમાં આ વધારો છેલ્લે 2017માં સેટલમેન્ટ સમયે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજ સુધી માર્જિન વધારવામાં આવ્યું નથી. બીજી તરફ, તે ખૂબ જ ગંભીર બાબત છે કે આ સમયગાળા દરમિયાન વ્યવસાયમાં ખર્ચનું પ્રમાણ ઘણું વધી ગયું છે. સરકારે સીએનજી રિક્ષા ચાલકોની માંગને ધ્યાને લઈને રિક્ષાના ભાડામાં વધારો કર્યો છે. જ્યારે કંપની સીએનજી વિક્રેતાઓની વાજબી માંગ પર આંખ આડા કાન કરી માર્જિન વધારી રહી નથી.
 
જો કંપની દ્વારા કરાર રિન્યુ કરવામાં ન આવ્યો હોત તો સીએનજી વેચનારને કડક પગલાં લેવાની ફરજ પડી હોત. આજે 6 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી 7 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યા સુધી એક દિવસ માટે સીએનજીનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને જો આ અન્યાય ચાલુ રહેશે તો ગુજરાતના યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર્સ અને સીએનજી ફ્રેન્ચાઈઝીઓએ 16 ફેબ્રુઆરીથી કોન્ટ્રાક્ટ રિન્યુઅલ અને સીએનજી માર્જિનમાં વધારો ન થાય ત્યાં સુધી વેચાણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જનતાને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments