Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chhota Udepur News - ST પ્રમાણપત્ર બાબતે આદિવાસીઓએ આપ્યું છોટાઉદેપુર બંધનું એલાન

Webdunia
શુક્રવાર, 9 માર્ચ 2018 (12:55 IST)
છોટાઉદેપુરમાં આજે જાતિના પ્રમાણપત્રને લઈને ચાલી રહેલા આંદોલન બાદ આદિવાસીઓએ આજે બંધનું એલાન આપ્યું છે. જેને પગલે તેણે માર્કેટ તથા અન્ય દુકાનો બંધ કરાવીને રસ્તા રોકો આંદોલન શરૂ કરાવ્યુ છે. તેમણે એસટી સહિતના વાહનોને પણ રસ્તા પર રોક્યા હતા. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં આજે રાઠવા સમાજે જાતિના પ્રમાણ પત્રને લઈને બંધનું એલાન આપ્યું છે. જાતિને લઈને આપેલું પ્રમાણપત્ર ખોટુ હોવાની નોટિસો મળ્યા બાદ રાઠવા સમાજનો વિરોધ દેખાયો હતો.

કેટલાક કર્મચારીઓનું પ્રમાણપત્ર ખોટુ હોવાની પણ નોટિસો મળી છે. તેથી રાઠા સમાજના લોકોએ આંદોલન છેડીને છોટાઉદેપુર બંધની જાહેરાત આપી હતી. સમાજના લોકોએ પાવીજેતપુમાં ચક્કાજામ કરાવ્યું હતું. તેમજ શાકમાર્કેટ અને દુકાનો બંધ કરાવી હતી. લોકોએ એસટી બસ સહિતના વાહનોને પણ રસ્તા પર રોકીને આંદોલન કર્યું હતું. આ માટે ક્વાંટ ખાતે જૈનમૂનિનાં 6 દિવસથી પ્રતિક ધરણાં ચાલી રહ્યા છે. આદિવાસીઓનાં સમર્થનમાં જૈન મુનિ રાજેન્દ્રમુની મ.સા.નાં પ્રતિક ધરણાં પણ છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments