Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandipura virus - ચાંદીપુરા વાયરસનો હાહાકાર, અત્યાર સુધી 61 બાળકોનાં મોત થયાં છે

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (17:23 IST)
Chandipura virus - ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ અને તેના જેવી જ વાઇરલ ઍન્કેફેલાઇટિસ બીમારીથી 61 બાળકોનાં મોત થયાં છે.  અત્યાર સુધી 148 કેસ નોંધાયા છે
 
સરકારે 1 ઑગ્સ્ટે આપેલા આંકડાઓ પ્રમાણે, ચાંદીપુરાને કારણે પંચમહાલમાં સૌથી વધારે સાત મોત નોંધાયાં હતાં. જયારે અમદાવાદ કૉર્પોરેશનમાં છ મોત નોંધાયાં હતાં. આ ઉપરાંત રાજકોટ, સાબરકાંઠા અને મોરબીમાં ચાર-ચાર મોત નોંધાયાં હતાં.
 
સરકારે આપેલા આંકડા અનુસાર વાઇરલ ઍન્કેફેલાઇટિસના અત્યાર સુધી 148 કેસ નોંધાયા છે. જેમાંથી 56 કેસમાં ચાંદીપુરા વાઇરસ પૉઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે.
 
ઍન્કેફેલાઇટિસના સૌથી વધારે 16 કેસ પંચમહાલમાં નોંધાયા છે, જ્યારે સાબરકાંઠામાં 15 અને અમદાવાદ કૉર્પોરેશનમાં 12 કેસ નોંધાયા છે.
 
ચાંદીપુરાના કેસોની વાત કરીએ તો પંચમહાલમાં સૌથી વધારે સાત કેસો નોંધાયા છે, જ્યારે સાબરકાંઠામાં છ કેસો નોંધાયા છે. આ ઉપરાંત મહેસાણામાં પણ ચાંદીપુરાના પાંચ કેસો નોંધાયા છે.
 
ઍન્કેફેલાઇટિસના 27 દર્દીઓ હાલમાં અલગ અલગ હૉસ્પિટલમાં દાખલ છે. જ્યારે 60 દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
 
સરકારે પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે આરોગ્યની ટીમે પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘરે અને આસપાસના વિસ્તારોમાં મળીને કુલ 46 હજાર 222 ઘરોમાં સર્વેલાન્સની કામગીરી કરી છે.
 
રાજ્ય સરકારે જણાવ્યું કે નેશનલ સેન્ટર ફૉર ડિઝિસ કન્ટ્રોલ, દિલ્હી અને આઈસીએમઆર એનઆઈવી, પુણેથી પણ આ વાઇરસથી થયેલાં મોતની તપાસ માટે ટીમ આવેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments